________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : આત્મભાવના સાર છે. આવી રીતે જ્ઞાનાનંદસ્વરૂપની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતાવડે પરમાત્મા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેહ તો જડ છે, તે દેહમાંથી કાંઈ પરમાત્મદશા નથી આવતી, પરમાત્મદશા તો આત્મામાંથી આવે છે; દેહથી ભિન્ન આવા આત્માને જાણીને તેમાં એકાગ્રતા-વડ પરમાત્મદશા થાય છે, માટે દેહમાં આત્મબુદ્ધિ છોડીને, અંતરના આત્મસ્વરૂપની શ્રદ્ધાથી અંતરાત્મા થઈને, પરમાત્મા થવાનો ઉધમ કરવાયોગ્ય છે. (૧૩)
*
*
*
* *
*
* *
* *
*
* *
* *
*
* *
* * *
* * * *
* * *
* *
*
મારો ચૈતન્યવિલાસ આનંદમય ચૈતન્યવિલાસથી ભરપૂર મારા આત્માની સન્મુખ થઈને તેને જ ભાવતો હું, ચારગતિના ભવોને ભાવતો નથી, તેનાથી હું વિમુખ છું, જુદો છું, એટલે તે મનુષ્યાદિ કોઈ ગતિનો હું કર્તા નથી; મારામાં તે ગતિ નથી, ને તે ગતિમાં હું નથી. હું મારા ચૈતન્ય વિલાસમાં જ છું-આવો પોતાનો અનુભવ કર્યો તેનો વારંવાર અભ્યાસ તે મોક્ષનો માર્ગ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com