________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૮૧
બહારમાં જ આત્મબુદ્ધિ છે. હું તો બધાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, મારી સંપત્તિ મારામાં જ છે-એમ નિજસ્વભાવની દઢતા કરે તો મિથ્યાત્વ ટળીને પહેલાં સમ્યગ્દર્શનરૂપી સમાધિ થાય; પછી પોતાના ચિદાનંદસ્વરૂપમાં એવો લીન થાય કે જગતને ભૂલી જાય (એટલે કે તેનું લક્ષ છૂટી જાય) ને રાગદ્વેષ ટળી જાય ત્યારે ચારિત્ર અપેક્ષાએ વીતરાગી સમાધિ થાય છે. આ સિવાય બહારમાં પોતાપણું માને તેને સમાધિ થતી નથી, પણ સંસાર થાય છે.
આચાર્યદેવ બહિરાત્માઓ ઉપર કરુણાબુદ્ધિથી કહે છે કે હા! હતું નાત્ અરેરે! આ બહિરાત્મ જીવો ત છે કે ચૈતન્યને ચૂકીને બહારમાં જ આત્મબુદ્ધિ કરીને તેના સંયોગ-વિયોગમાં હર્ષ-વિષાદ કરે છે....બાહ્યદષ્ટિથી જગતના જીવો ક્ષણેક્ષણે ભાવમરણ કરીને હણાઈ રહ્યા છે. અરેરે! ખેદ છે કે આ જીવો ભ્રાંતિવડે હણાઈ રહ્યા છે....દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણે તો તેઓનો ઊગારો થાય. જેમ પિતા બેઠા હોય ને સામે તેનો પુત્ર ખટારા નીચે કચડાઈને મરી જતો હોય તો પિતાને કરુણા આવે છે (–સંયોગના કારણે નહિ પણ પોતાને પુત્ર ઉપર મમતા છે તે કારણે), તેમ મુનિવરો અને આચાર્ય ભગવંતો મુમુક્ષુ જીવોના ધર્મપિતા છે; આ બહિરાત્મા જીવોને અજ્ઞાનથી ભાવમરણમાં મરતા દેખીને તેઓને કરુણા આવે છે કે અરેરે ! ચૈતન્યને ચૂકીને મોહથી જગત મૂર્છાઇ ગયું છે! તેને પોતાના આત્માની સુધબુધ રહી નથી. અરે! ચૈતન્યભગવાનને આ શું થયું કે જડ-કલેવરમાં મૂર્છાઈ ગયો? અરે જીવો ! અંતરમાં પ્રવેશ કરીને જુઓ....તમે તો ચિદાનંદસ્વરૂપ અમર છો, આ દેહ તો જડ વિનાશિક છે. બહિરાત્મબુદ્ધિને લીધે બહિરાત્મા અનંત દુઃખ ભોગવે છે. અહીં હા! હતું નાત્ એમ કહીને તેમના ઉપ૨ કરુણા કરીને સંતો તે બહિરાત્મબુદ્ધિ છોડાવવા માંગે છે. (૧૪)
**
Please inform us of any errors on rajesh @AtmaDharma.com