________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) : આત્મભાવના
દેહબુદ્ધિરૂપ અવિદ્યાના
સંસ્કાર
આ આત્મા તો ચૈતન્યસ્વભાવી સૂર્ય છે, દેહથી ભિન્ન છે. તેને ન જાણતા, શરીર તે જ આત્મા છે-એમ અજ્ઞાનીને વિભ્રમ થઈ ગયો છે. તે વિભ્રમને લીધે શું થાય છે તે કહે છે –
अविधासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः।
येन लोकोङ्गमेव स्वं पुनरप्यभिमन्यते।।१२।। દેહ તે જ હું છું-એવા વિભ્રમને લીધે તે બહિરાત્માને અવિદ્યાના સંસ્કાર દઢ થઈ જાય છે અને તેથી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સર્વત્ર પોતાને શરીરરૂપે જ માને છે. અવિધાના સંસ્કાર કોઈ પરને લીધે કે કર્મને લીધે થાય-એમ નથી પણ પોતાની વિશ્વમબુદ્ધિને લીધે જ અવિઘાના સંસ્કાર છે. ચિદાનંદસ્વરૂપને ના જાણું ને દેહને જ આત્મા માન્યો તે જીવ ભલે ગમે તેટલા શાસ્ત્રો ને ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય તો પણ તેને અવિદ્યા જ છે. ચેતન અને જડનું ભેદવિજ્ઞાન જ્યાં ન કર્યું ત્યાં અવિદ્યા જ છે. અને ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય,-અરે! તિર્યંચ હોય, તોપણ જો અંતરમાં ચૈતન્યસ્વરૂપ પોતાને દેથી ભિન્ન જાણે છે તો તે સમ્યક વિધાવાળો છે, તેને અનાદિના અવિધાના સંસ્કાર છૂટી ગયા છે. તે અંતરાત્મા છે...ધર્માત્મા છે....મોક્ષનો પંથી છે.
જુઓ, મોક્ષશાસ્ત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ જેવી મહાન ટીકા કરનારા શ્રી પૂજ્યપાદસ્વામી અહીં સ્પષ્ટ કહે છે કે, વિભ્રમને લીધે જ આત્માને અવિદ્યાના સંસ્કાર દઢ થયા છે; કર્મને લીધે કે પરને લીધે અવિદ્યા થઈ એમ નથી. કર્મ આત્માને વિકાર કરાવે એમ માનનાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com