________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૭૧ પણ જડને જ આત્મા માને છે એટલે શરીરને જ આત્મા માને છે. ઊંધી માન્યતાથી “શરીર તે જ હું છું” એવા વિભ્રમને લીધે અજ્ઞાનીને અવિધાના દઢ સંસ્કાર એવા થઈ જાય છે કે બીજા જન્મમાં પણ જ્યાં જાય ત્યાં શરીરમાં જ આત્મબુદ્ધિ કરે છે. મનુષ્યશરીર મળ્યું ત્યારે “હું જ મનુષ્ય છું, હું તિર્યંચ નથી ” એમ માને છે, પણ જ્યાં તિર્યંચ શરીર મળ્યું ત્યાં અવિધાના સંસ્કારને લીધે એમ માને છે કે હું જ તિર્યંચ છું.-એ રીતે જે-જે શરીરનો સંયોગ મળ્યો તે-તે શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. પણ હું તો અનાદિઅનંત ટકનારો ચૈતન્યમૂર્તિ છું, શરીરરૂપ હું કદી થયો જ નથી -એમ અજ્ઞાની જાણતો નથી. શરીરને જ જીવ માને છે એટલે શરીર છૂટતાં જાણે જીવ જ મરી ગયો-એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે; અજ્ઞાનીને જે અવિદ્યાના સંસ્કાર છે તે પોતાના ભ્રમને લીધે જ છે, કોઈ કર્મને લીધે કે બીજાને લીધે નથી. અહીં તો એમ બતાવવું છે કે અરે ભાઈ ! ભ્રમથી દેહને જ આત્મા માનીને તું અત્યાર સુધી અનંત જન્મમરણમાં રખડયો, હવે દેથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને એ ભ્રમબુદ્ધિ છોડ...બહિરાત્મદશા છોડને અંતરાત્મા થા.
દેહને આત્મા માનનારો જીવ ભ્રાંતિથી કેવો દુઃખી થાય છે તેનું દષ્ટાંત
એક માણસ નિદ્રામાં સૂતો હતો; તેને સ્વપ્ન આવ્યું કે “ મરી ગયો છું. આ રીતે પોતાનું મરણ દેખીને તે જીવ ઘણો દુ:ખી ને ભયભીત થયો.
કોઈ સજ્જને તેને જગાડ્યો; જાગતાંવેંત તેણે જોયું કે અરે, હું તો જીવતો જ આ રહ્યો. હું કાંઈ મરી નથી ગયો. સ્વપ્નમાં મને મરેલો માન્યો તેથી હું બહુ દુઃખી થયો, પણ ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો ને મૃત્યુ સંબંધી તેનું દુ:ખ મટી ગયું. અરે, જો તે મરી ગયો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com