________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : આત્મભાવના છે, તેથી બાહ્ય વિષયોથી તે ખસતો નથી ને ચૈતન્યસુખને જાણતો નથી; વિષયોના રસને લીધે ચૈતન્યના આનંદરસને ચૂકી જાય છે, અને બાહ્યમાં પ્રતિકૂળતા આવે-રોગાદિ થાય-ત્યાં પોતાને દુઃખી માને છે. આ રીતે એકલા બાહ્યસંયોગથી જ પોતાને સુખી-દુઃખી માનીને તેમાં જ રાગ-દ્વેષ-મોહથી પ્રવૃત્તિ કરે છે, અંતર્મુખ વળતો નથી.-આવો બહિરાત્મા છે. ખરેખર કોઈ પણ સંયોગ પુત્રસ્ત્રીઆદિ આત્માના ઉપકારી નથી, તે આત્મીય વસ્તુ નથી છતાં મોહને લીધે બહિરાત્મા તેને આત્મીય માનીને ઉપકારી માને છે.
જ્યાં અનુકૂળ સંયોગ મળે ત્યાં તેમાં જ સુખ માનીને સંતુષ્ટ થઈ જાય છે-રાગમાં લયલીન થઈ જાય છે, અને જ્યાં તેનો વિયોગ થાય ને પ્રતિકૂળતા આવે ત્યાં મહા સંતાપ કરે છે–શોકમાં તલ્લીન થઈ જાય છે; પણ રાગ-દ્વેષના ચકકરથી છૂટીને ચૈતન્યની શાંતિમાં આવતો નથી. દાદિ સંયોગથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ છે–એમ જો ઓળખે તો બધા સંયોગમાંથી રાગદ્વેષનો અભિપ્રાય છૂટી જાય, ને ચૈતન્યની અપૂર્વ શાંતિ થઈ જાય. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સિવાય પુણ્ય-પાપથી કે બાહ્ય સંયોગથી પોતાને જે ઠીક માને છે, તે બહિરાત્મા છે, તે બહારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે, પોતાના ચૈતન્યના ભિન્ન અસ્તિત્વને તે જાણતો નથી. દેહ તે જ હું, ને દેહના સંબંધી તે બધાય મારા સંબંધી-એવો દઢ અભિપ્રાય અજ્ઞાનીને ઘૂંટાઈ ગયો છે; એટલે પર સાથેનો સંબંધ તોડીને પોતાના સ્વભાવ સાથે સંબંધ કરતો નથી–અર્થાત્ સમ્યક શ્રદ્ધાજ્ઞાન કરતો નથી, તેથી તેને સમાધિ થતી નથી.
શુદ્ધ જ્ઞાન ને આનંદસ્વરૂપ જ હું છું, એ સિવાય બીજા બધાય મારાથી બહિરભાવો છે, તે હું નથી,-આવું ભેદજ્ઞાન કરનાર જ્ઞાની અંતરાત્મા છે. બાહ્યચીજને તે સ્વનેય પોતાની માનતા નથી એટલે ચૈતન્યને ચૂકીને બાહ્યચીજમાં એકતાબુદ્ધિથી રાગદ્વેષ તેને થતા નથી. અજ્ઞાની તો આત્માને દેહાદિ બાહ્ય સ્વરૂપ જ માને છે, દેહ અને ઇન્દ્રિયો તથા બાહ્ય વિષયોને તે હિતરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com