________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૬૭ માનનાર પણ ખરેખર આત્માને જડથી ભિન્ન ઓળખતો નથી. પોતાના આત્માને જ્ઞાનાનંદસ્વરૂપે જાણ્યા વિના બીજાના આત્માની પણ વાસ્તવિક ઓળખાણ થતી નથી.
શરીરની ક્રિયા મારાથી થાય એમ જે માને છે તે શરીરને જ આત્મા માને છે, ને આત્માને જડ માને છે. આત્માનું લક્ષણ તો જ્ઞાન છે–એમ તે જાણતો નથી.
જ્ઞાનલક્ષણી આત્મા છે, ને શરીર તો જડ પરમાણુથી લક્ષિત છે. શરીરમાં ક્ષણે ક્ષણે અનંતા પરમાણુઓ આવે છે ને જાય છે. પણ તેથી કાંઇ આત્મામાં એકેય પ્રદેશ ઘટતો કે વધતો નથી. પુદ્ગલના પિંડથી ચૈતન્યપિંડ તદ્દન જાદો છે. આમ જે નથી જાણતો તે બહિરાત્મા પોતામાં આત્માને શરીરરૂપ જ માને છે ને બીજામાં પણ તેના શરીરને દેખીને તેને જ આત્મા માને છે. “આ જ્ઞાની, બોલે છે–ખાય છે–ચાલે છે-હુસે છે” એમ અજ્ઞાની દેહની ચેષ્ટાને જ આત્મા તરીકે દેખે છે, ને તેનાથી જ્ઞાનીને ઓળખે છે, પણ જ્ઞાનીનો આત્મા તો જ્ઞાતાદષ્ટા છે, દેહથી પાર છે ને રાગનો પણ કર્તા તે નથી, તે તો આનંદ અને જ્ઞાનરૂપ પરિણમે છે–એમ ઓળખે તો જ જ્ઞાનીની સાચી ઓળખાણ થાય; પણ એને તો અજ્ઞાની ઓળખતો નથી; તે તો શરીરની ચેષ્ટાને જ દેખે છે. પોતાના આત્માને નહિ દેખનારો અંધ બીજાના આત્માને કયાંથી દેખી શકે?
શરીરનો નાશ કે ઉત્પત્તિ થતાં જાણે કે જીવ જ નાશ પામ્યો ને જીવ ઉત્પન્ન થયો-એમ અજ્ઞાની માને છે, કેમકે તેણે શરીરને જ આત્મા માન્યો છે. પોતામાં પણ શરીર છૂટતાં મારો નાશ થઈ જશે-હું મરી જઈશ”—એમ માને છે, એટલે મૃત્યુનો ભય તેને સદાય રહ્યા જ કરે છે. પણ હું તો જ્ઞાનસ્વરૂપ અસંયોગી છું, શરીર જડ છે, તેના સંયોગ-વિયોગે મારી ઉત્પત્તિ કે નાશ નથી-એમ અજ્ઞાની જાણતો નથી. વળી શરીરને જ આત્મા માન્યો એટલે શરીરને પોષનારા પાંચ ઇન્દ્રિયના વિષયભોગોને તે સુખકારી માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com