________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવના :
૫
આત્મ જ્ઞાન-આનંદસ્વરૂપે જ ત્રિકાળ છે-એવા શ્રદ્ધા-જ્ઞાન કરવા તથા તેમાં એકાગ્રતા કરવી તે સમાધિ છે. જ્ઞાની તો જાણે છે કે હું ચૈતન્યસ્વરૂપ અરૂપી છું ને બધાય આત્મા પણ એવા જ ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. આ શરીર દેખાય છે તે તો રૂપી જડઅચેતન છે, તે હું નથી, અને બીજા શરીર દેખાય છે તે પણ આત્મા નથી, બીજા આત્માઓ તે શરીરથી જુદા છે. અજ્ઞાની તો પોતાના આત્માને પણ શરીરૂપ જ દેખે છે, શરીર તે હું જ છું એમ માને છે, અને બીજા આત્માઓને પણ એ જ રીતે શરીરૂપે જ દેખે છે. શરીર જડ છે ને આત્મા ચેતન છે-એમ તો બોલે, પણ વળી એમ માને કે ‘શરીરની ક્રિયા આત્મા કરે છે, શરીરની ક્રિયાથી આત્માને લાભ- નુકશાન થાય ’–તો તે પણ શરીરને આત્મા જ માને છે, શ૨ી૨થી ભિન્ન આત્માને ખરેખર તે માનતો નથી; અને તેને સમાધિ થતી નથી. દેહ તે જ હું-એમ દેહને જ જેણે આત્મા માન્યો છે તેને દેહ છૂટતાં સમાધિ કેમ રહેશે ? નજર તો દેહ ઉપ૨ જ પડી છે એટલે તેને દેહ છૂટવાના અવસરે સમાધિ રહેશે નહિ. જ્ઞાન તો પોતાના આત્માને દેહથી ભિન્ન જ જાણે છે, ચૈતન્યસ્વરૂપ જ હું છું, શરી૨ હું નથી એવું તેને ભાન છે, એટલે દેહ છૂટવાના અવસરે પણ અશરીરી ચૈતન્યના લક્ષે તેને સમાધિ જ રહે છે. માટે ભેદજ્ઞાન કરીને અંતરમાં સ્વસંવેદનથી ચિદાનંદસ્વરૂપ પોતાના આત્માને જાણવો તે જ સમાધિનો ઉપાય છે. (૧૦)
*
*
Please inform us of any errors on rajesh @AtmaDharma.com