________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૬૪ : આત્મભાવના
અજ્ઞાની બીજાને પણ દેહબુદ્ધિથી જ દેખે છે
મૂઢ બહિરાત્મા અતીન્દ્રિય જ્ઞાનથી આત્માને જાણતો નથી, તે ઇન્દ્રિયજ્ઞાનથી માત્ર શ૨ી૨ને જ જાણે છે ને તેને જ આત્મા માને છે. આ શરીર તે જ હું છું, શરીરની બોલવાની-ચાલવાની ચેષ્ટાઓ તે બધી મારા આત્માની ચેષ્ટા છે-એમ અજ્ઞાની માને છે; અને બીજામાં પણ બીજાના શરીરને જ આત્મા માને છે તથા તે આત્માથી અધિષ્ઠિત એવા અચેતન શરીરની ચેષ્ટાઓને આત્માની જ ચેષ્ટા માને છે, પણ દેહ તો ચેતનરહિત છે ને આત્મા ચેતનસહિત છે-તેને અજ્ઞાની જાણતો નથી;–એ વાત હવે દસમી ગાથામાં કહે છે
स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् ।
परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ।। १० ।।
અતીન્દ્રિયજ્ઞાનવર્ડ ચૈતન્યસ્વરૂપ આત્માને તો જાણ્યો નહિ, ને ઇન્દ્રિયજ્ઞાનવડે માત્ર અચેતન શરીરને જ જાણ્યું ત્યાં અજ્ઞાનીને ‘શરીર જ હું છું.' એવી દેહબુદ્ધિ થઈ ગઈ, અને જેમ પોતામાં શરીરને આત્મા માને છે તેમ બીજાના અચેતન શરીરને દેખીને તેને પણ તે બીજાના આત્મા જ માને છે. એ રીતે મૂઢ જીવ પોતામાં ને પરમાં અચેતન શરીરને જ આત્મા માને છે; દેહથી ભિન્ન આત્માને તે દેખતો નથી.
જે દેહને જ આત્મા માનીને મૂર્ખાઈ ગયો તેને અસમાધિ છે. અહીં સમાધિનો ઉપાય બતાવે છે. દેહાદિથી ભિન્ન મારો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com