________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૪૫ તો આ આત્મા પણ પરમાત્મા જેવો જ છે. પરમાત્માના ગુણોને ઓળખીને પરમાત્માનું સ્વરૂપ જે જાણે તેને આત્માનું સ્વરૂપ પણ જણાયા વગર રહે નહિ. જેટલા ગુણો પરમાત્મામાં છે તેટલા જ ગુણો આ આત્મામાં છે ને તેનો વિકાસ કરીને (એટલે કે પર્યાયમાં પ્રગટ કરીને) આ આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે. આ રીતે આત્માના ધ્યેયરૂપ જે પરમાત્મપદ તેને બરાબર ઓળખવું જોઈએ; ઓળખાણ વિના તેની પ્રાપ્તિ થતી નથી, એટલે સુખ થતું નથી.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વગર દેહાદિને પોતાનાં માનીને જીવ અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો છે, તે દુઃખ કહો કે અસમાધિ કહો; તે ટળીને સુખ અથવા સમાધિ કેમ થાય તેની આ વાત છે.
જુઓ, ભાઈ ! દુઃખ તો કોને પ્રિય છે!! જગતમાં કોઈને દુઃખ વહાલું નથી. જ્ઞાનીઓને જગતના દુઃખી પ્રાણીઓ ઉપર કરુણાબુદ્ધિ વર્તે છે. પોતે જે દુ:ખથી છૂટવા માંગે છે તે દુઃખ બીજા પામે એવી ભાવના જ્ઞાનીને કેમ હોય? જ્ઞાનીને તો એવી સહજ કરુણા આવે છે કે અરેરે! આ જીવો બીચારા પોતાના સ્વરૂપને ભૂલી જઈને અજ્ઞાનને લીધે મહાન દુઃખમાં ડુબેલા છે, એનાથી છૂટવાના ઉપાયની પણ તેમને ખબર નથી! હું જે પરિપૂર્ણ સુખને પ્રાપ્ત કરવા ચાહું છું તે સુખ બીજા જીવો પણ પામે-એમ જ્ઞાનીને તો અનુમોદના છે. ઉપદેશમાં તો જ્ઞાન-ધર્માત્મા કે વીતરાગી સંતમુનિઓ પણ એમ કહે કે “જે જીવો ધર્મનો તીવ્ર વિરોધ કરશે કે તીવ્ર પાપભાવો કરશે તે જીવો મિથ્યાત્વના સેવનથી નરકનિગોદમાં રખડશે ને અનંત દુ:ખ પામશે.” પણ-આમ કહેવામાં જ્ઞાની-સંતોને કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વષબુદ્ધિ નથી, તેમજ તેમને કાંઈ કોઈ જીવને નરક-નિગોદમાં મોકલવાની ભાવના નથી, પરંતુ ઊલટી કરુણાબુદ્ધિ છે–હિતબુદ્ધિ છે, એટલે યથાર્થ વસ્તુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com