________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૪૩ સંબંધ વગરનો ને કર્મના સંબંધ વગરનો છે-એમ પોતાના આત્માને કેવળ' (પરસંબંધરહિત એકલો) શુદ્ધ અનુભવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.
સમયસારમાં પણ કહ્યું છે કે એકત્વ-વિભક્ત આત્માનો અનુભવ તે જૈનશાસન છે. કર્મના બંધન વિનાનો ને પરના સંબંધ વગરનો એવો જે શુદ્ધ જ્ઞાયકસ્વભાવ તેની સન્મુખ થઈને તેનો અનુભવ કરવો તે જ જૈનશાસન છે. અને જે પોતાના આવા આત્માનો અનુભવ કરે તેને જ પરમાત્માની પરમાર્થ ઓળખાણ થાય કે અહો ! રાગથી જાદો પાડીને જે અતીન્દ્રિય આનંદનો અંશ મને વેદનમાં આવ્યો તે જ જાતનો (પણ તેથી અનંતગુણો) પરિપૂર્ણ આનંદ પરમાત્માને પ્રગટી ગયો છે, ને તેઓ સર્વથા રાગરહિત થઈ ગયા છે. આ રીતે અંશના વેદનપૂર્વક પૂરાનું ભાન થતાં સાધકને તેના પ્રત્યે ખરી ભક્તિ અને બહુમાન આવે છે. પરમાત્મા પ્રત્યે જેવા ભક્તિ-બહુમાન જ્ઞાનીના અંતરમાં હોય તેવા અજ્ઞાનીને ન હોય.
ભગવાન પરમાત્માનું ‘વિવિક્ત” એવું પણ એક નામ છે. વિવિક્ત એટલે ભિન્ન, આત્માનો સ્વભાવ રાગાદિથી વિવિક્ત છે એમ પહેલાં જાણીને, ભગવાન રાગથી ખાલી-વિવિક્ત થઈ ગયા. જુઓ, આ પરમાર્થ “વિવિક્તશય્યાસન”! બ્રહ્મચર્યની રક્ષા માટે વિવિક્તશય્યાસન કરવું એટલે કે સ્ત્રી-પશુ વગેરેથી ખાલી એકાંત સ્થાનમાં રહેવું એમ કહ્યું છે, તેમાં તો વ્યવહારમાં તે જાતનો વિકલ્પ હોય છે તેની વાત છે. પણ પરમાર્થે આ બ્રહ્મસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ આત્મા રાગના સંગથી પણ રહિત છે-રાગથી પણ વિવિક્ત છે,એમ જે જાણતો નથી, ને રાગના સંગથી લાભ માને છે તેને ખરેખર વિવિક્તશય્યાસન” નથી પણ વિકારમાં જ શય્યાસન છે. ભલે તે જંગલમાં એકાંત ગુફામાં એકલો પડ્યો રહેતો હોય તો પણ અંતરમાંથી રાગનો સંગ છૂટયો નથી તેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com