________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૪૨ : આત્મભાવના
બંધ એવા પરમ ચૈતન્યપદમાં સ્થિત હોવાથી તેઓ ‘પરમેષ્ઠી ’છે. સંસારના જીવોથી ૫૨ એટલે ઉત્કૃષ્ટ આત્મા હોવાથી તે ‘પરાત્મા ’ છે; અને તે જ ઉત્તમ હોવાથી ‘૫૨માત્મા’ છે. ઇન્દ્રાદિને પણ ન હોય એવા અંતરંગ કેવળજ્ઞાનાદિ અને બહિરંગ (સમવસરણાદિ ) દિવ્ય ઐશ્વર્યસહિત હોવાથી તે જ ‘ઈશ્વર' છે. અને સમસ્ત દ્રવ્યકર્મભાવકર્મનું ઉન્મૂલન કરી નાંખ્યું હોવાથી તેઓ જ ‘જિન' છે. આ પ્રમાણે આ બધાં નામો શુદ્ધ આત્મારૂપ પરમાત્માનાં વાચક છે.
પરમાત્માના આવા સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે ચિંતવવો તે ૫૨માત્મા થવાનો ઉપાય છે.
ઇન્દ્ર એકહજાર ને આઠ નામોથી ભગવાનની સ્તુતિ કરે છે; અને સંત-મુનિવરો પણ અનેક-અનેક નામોથી ભગવાનની સ્તુતિ કરે છે. સંતો અંદરમાં કર્મના સંબંધરહિત ને રાગાદિરહિત પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપને લક્ષમાં લઈને તેને સાધે છે, ત્યાં પરમાત્મસ્વરૂપને પામેલા એવા અરિહંત-સિદ્ધભગવંતો પ્રત્યે બહુમાનનો ભાવ આવતાં અનેક પ્રકારે સ્તુતિ કરે છે. જેને આવા શુદ્ધ આત્માનું લક્ષ હોય તે જ પરમાત્માની વાસ્તવિક સ્તુતિ કરી શકે. પરમાત્માને કોઈ પણ ગુણવાચક નામથી ઓળખી શકાય છે. બોધસ્વરૂપ હોવાથી તેમને ‘બુદ્ધ' પણ કહેવાય, કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને ‘શિવ' પણ કહેવાય, પોતાના સર્વગુણોમાં વ્યાપક હોવાથી તેમને ‘વિભુ' પણ કહેવાય, મોક્ષમાર્ગની રચના કરનારા હોવાથી તેમને ‘બ્રહ્મા' પણ કહેવાય. આમ ગુણની ઓળખાણપૂર્વક ગમે તે નામ કહી શકાય છે.
જેને શુદ્ધ આત્માની દષ્ટિ છે એવા અંતરાત્મા તો ૫૨માત્માની ભાવના ભાવે છે, ને બહિરાત્મા તો રાગાદિની ભાવના ભાવે છે. ભગવાન ૫૨માત્માને રાગાદિનો કે કર્મોનો સંબંધ છૂટી ગયો છે તેથી તે ‘કેવલ ’ છે તેમ મારો આત્મા પણ પરમાર્થ રાગાદિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com