________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૪૧
૫૨માત્મસ્વરૂપને ઓળખાવનારાં અનેક નામો
પાંચમી ગાથામાં પરમાત્મપણું ઉપાદેય કહ્યું; તેની વિશેષ ઓળખાણ કરાવવા માટે હવે છઠ્ઠી ગાથામાં અનેક નામોથી તેની ઓળખાણ કરાવે છે
निर्मलः केवलः शुद्धोः विविक्तः प्रभुरव्ययः।
परमेष्ठि परात्मेति परमात्मेश्वरो जिनः ।।६।।
નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિક્ત, પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરમાત્મા, ઈશ્વર અને જિન ઇત્યાદિ નામો ૫રમાત્માનાં વાચક છે.
ભગવાન પરમાત્મા મોહાદિ દ્રવ્યકર્મ તેમ જ ભાવકર્મરૂપ મલથી રહિત હોવાથી ‘નિર્મળ’ છે. શરીરાદિના સંબંધ રહિત હોવાથી ‘ કેવળ ’ છે. અરિહંત પરમાત્મા પણ ખરેખર શરીરાદિના સંબંધરહિત છે કેમકે શ૨ી૨ કે ઇન્દ્રિયોજનિત સુખ-દુ:ખ કે જ્ઞાન તેમને નથી, તેઓ અતીન્દ્રિય થઈ ગયા છે. દ્રવ્યકર્મ-ભાવકર્મનો અભાવ હોવાથી તેઓ ‘શુદ્ધ’ છે. ચાર ઘાતી કર્મો ટળ્યાં ત્યાં બાકી રહેલાં ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય જ થતો જાય છે, તેઓ રાગાદિ અશુદ્ધતા ઉપજાવતા નથી; માટે અરિહંતભગવાન પણ પરમવિશુદ્ધિને પામેલા હોવાથી ‘શુદ્ધ’ છે. રાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી ભગવાન ‘વિવિક્ત' છે. ઇન્દ્ર વગેરેના પણ સ્વામી હોવાથી ‘પ્રભુ’ છે; અથવા કેવળજ્ઞાનરૂપ પ્રભુતા પ્રગટી ગઈ હોવાથી પ્રભુ છે. કેવળજ્ઞાનાદિ જે અનંતચતુષ્ટય પ્રગટયા તેનાથી કદી ચૂત થતા નથી તેથી તે ‘અવ્યય’ છે. ઇન્દ્રાદિકથી
Please inform us of any errors on rajesh @AtmaDharma.com