________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : આત્મભાવના જાણે છે, દેહાદિને અજીવરૂપે જાણે છે. દેહાદિને કે રાગાદિને આત્માનું સ્વરૂપ તે માનતા નથી.
* જીવ તો જ્ઞાન-દર્શન-આનંદસ્વરૂપ છે. * દેહ વગેરે તો અજીવ છે, તે જીવથી ભિન્ન છે. * રાગ-દ્વેષ-અજ્ઞાન તે દુઃખરૂપ ભાવો છે, એટલે કે તે આસ્રવ ને બંધારૂપ છે. * સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવ તે જીવને સુખરૂપ છે, તે સંવર-નિર્જરા-મોક્ષનું કારણ છે.
-આમ બધાં તત્ત્વોને જેમ છે તેમ જાણીને, એક જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે, દેહાદિને પોતાથી બાહ્ય જાણે છે, રાગ-દ્વેષ-અજ્ઞાનને દુઃખરૂપ જાણીને છોડે છે, ને સમ્યક શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને સુખરૂપ જાણીને આદરે છે-આવા જીવને અંતરાત્મા કહે છે. આવું અંતરાત્મપણે ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બારમા ગુણસ્થાન સુધી હોય છે.
જ્ઞાનસ્વરૂપ જીવ અને શરીરાદિ અજીવ, તે બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે, છતાં અજ્ઞાની જીવ ભ્રાંતિથી તે બન્નેને એક માને છે; શરીરાદિનાં કાર્યોને આત્માનાં માને છે, ને આત્માને શરીર વગેરે બાહ્યપદાર્થોથી હિત-અહિત માને છે; વળી જ્ઞાન-વૈરાગ્યરૂપ ભાવ આત્માને હિતરૂપ હોવા છતાં તેમાં તે પ્રવૃત્તિ નથી કરતો, તેમાં તો અરુચિ અને કંટાળો કરે છે, તથા રાગ-દ્વેષ-મોહરૂપ ભાવો જીવને અહિતરૂપ હોવા છતાં તેમાં નિરંતર પ્રવર્તે છે-તેની રુચિ છોડતો નથી; આ પ્રમાણે જીવ-અજીવ વગેરે તત્ત્વોના સ્વરૂપમાં ભ્રાંતિથી પ્રવર્તે છે, તે જીવ બહિરાત્મા છે.
ધર્મી તો જાણે છે કે હું જડથી ભિન્ન છું, દેહાદિક મારાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com