________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૩૩ ક્રિયાથી મને હિત-અહિત થાય,-એમ માનનાર જીવ બહિરાત્મા મિથ્યાષ્ટિ છે, કેમ કે પોતાના આત્માને બાહ્ય પદાર્થોથી ભિન્ન નથી જાણતો, પણ બાહ્ય પદાર્થોને જ આત્મા માને છે. આવા લક્ષણથી બહિરાત્મપણે ઓળખીને તે છોડવા જેવું છે.
દેહથી ભિન્ન, અને રાગાદિથી પાર, મારો આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે-એમ અંતરમાં આત્માના પરમાર્થસ્વરૂપને જે ઓળખે છે તે અંતરાત્મા છે. આવા લક્ષણથી અંતરાત્મપણે ઓળખીને તે પ્રગટ કરવા જેવું છે.
અને સમસ્ત દોષથી રહિત આત્માનું પૂર્ણ જ્ઞાન-આનંદ સ્વરૂપ પ્રગટે તે પરમાત્મદશા છે, તે પરમ ઉપાદેય છે.
આ શ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક વંચાય છે; આત્માને સમાધિ કેમ થાય અને મોક્ષસુખની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય બતાવે છે.
અનાદિકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ અજ્ઞાન અને અસમાધિ છે, તે કેમ છૂટે અને સુખ તથા સમાધિ કેમ થાય ? તે બતાવે છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને ભૂલીને બહારમાં દેહુ-મન-વચન તથા રાગાદિ તે જ હું છું એવી બહિરાત્મબુદ્ધિને લીધે જ અજ્ઞાની અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. દેહાદિથી ભિન્ન ને રાગાદિ દોષોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ હું છું—એવી આત્માની ઓળખાણ કરીને અંતરાત્મા થવું તે ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
ગૃહસ્થપણામાં રહેલો જીવ પણ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કરીને અંતરાત્મા થઈ શકે છે; હુજી રાગ-દ્વેષ હોવા છતાં, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું સમ્યકભાન થઈ શકે છે. સમકિતી ધર્માત્મા જીવ-અજીવ આદિ તત્ત્વોને ભ્રાંતિરહિત યથાર્થપણે જાણે છે. જીવને જીવરૂપે જાણે છે, રાગાદિને રાગાદિરૂપે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com