________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : આત્મભાવના
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ
હવે બહિરાત્મપણું છોડીને, અંતરાત્મા થઈને પરમાત્મપણું પ્રગટ કરવા માટે શિષ્ય પૂછે છે કે-પ્રભો ! એ ત્રણેનું લક્ષણ શું છે?તેનો ઉત્તર કહે છે –
बहिरात्मा शरीरादौ जातात्मभ्रांतिरांतर:
चित्तदोषात्मविभ्रांतिः परमात्माऽतिनिर्मल।।५।।
શરીરાદિ બાહ્ય પદાર્થોમાં “આત્મા” ની ભ્રાંતિ જે કરે છે તે બહિરાત્મા છે. અને રાગ-દ્વેષાદિ દોષો તથા ચૈતન્યસ્વરૂપ આત્મા–તેમના સંબંધમાં જે ભ્રાંતિથી રહિત છે તે અંતરાત્મા છે. જે રાગાદિ દોષને દોષરૂપે જાણે છે, ને પોતાના ચૈતન્યસ્વભાવને સ્વભાવરૂપે જાણે છે, જેને રાગાદિમાં “આત્મા' ની ભ્રાંતિ થતી નથી, ને મલિનતાથી ભિન્ન પોતાના શુદ્ધસ્વભાવને જે નિઃશંકપણે જાણે છે તે અંતરાત્મા છે. અને જે અત્યંત નિર્મળ છે, જેમના રાગાદિ દોષો સર્વથા ટળી ગયા છે ને સર્વજ્ઞ પરમપદ જેમને પ્રગટી ગયું છે, તે પરમાત્મા છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણવું.
આ શરીરાદિ જડ પદાર્થો પ્રગટપણે આત્માથી જુદા છે, તે કોઈ પદાર્થો આત્માના નથી, આત્માથી બહાર જ છે, છતાં તેને જે પોતાના માને છે તે જીવ બહિરાત્મા છે. આ શરીર મારું, હું દેવ, હું મનુષ્ય, હું પુરુષ, હું સ્ત્રી, હું ધોળો, હું કાળો, હું રાગી, હું દ્વષી, આ શરીરનાં કાર્ય હું કરું ને શરીરાદિની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com