________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૪૩ જુઓ, આમાં નિશ્ચય-વ્યવહાર કઈ રીતે આવ્યા? ત્રિકાળ કારણપરમાત્મા ભૂતાર્થ હોવાથી તે મોક્ષનું નિશ્ચય કારણ છે, અને મોક્ષમાર્ગરૂપ પર્યાય તે વ્યવહારકારણ છે. “અભિન્ન-ઉપાસના” માં સંયોગની વાત ન આવે, સંયોગ તો ભિન્ન છે.
જેમ વાંસનું ઝાડ પોતે પોતાની ડાળીઓ સાથે જ ઘસાતું ઘસાતું અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા પોતે પોતાના ગુણો સાથે ઘસાતો-ઘસાતો, એટલે કે અંતર્મથન વડે પર્યાયને આત્મામાં એકાગ્ર કરતો કરતો, પોતે પરમાત્મા થઈ જાય છે. અંતસ્વરૂપમાં લીન થઈને આત્મામાં અભેદતા કરવી તે અભેદઉપાસના છે; ને અભેદઉપાસના જ મોક્ષનું કારણ છે.
પ્રશ્ન-ભિન્નઉપાસનાનું ફળ પણ મોક્ષ કહ્યું હતું?
ઉત્તર:- ત્યાં ભિન્નઉપાસનામાંથી અભિન્નઉપાસનામાં આવી જાય છે–તે પરમાત્મા થાય છે, અરિહંત અને સિદ્ધ ભગવાનનો નિર્ણય કરીને તેના પોતાના સ્વભાવ તરફ જે વળી ગયો એટલે કે ભિન્નઉપાસના છોડીને અભિન્નઉપાસનામાં આવી ગયો, તેને પરમાત્મદશા થઈ ત્યાં નિમિત્તથી તેને ભિન્નઉપાસનાનું ફળ કહ્યું.
અહીં તો અભેદની વાત છે. ધ્રુવસ્વભાવ સાથે અભેદ થઈને મોક્ષપર્યાયરૂપ કાર્ય થયું છે તેથી તે નિશ્ચય કારણ છે. મોક્ષપર્યાય તે પણ વ્યવહારનયનો વિષય છે. ને અભેદ દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે. તેના જ આશ્રયે મુક્તિ થાય છે. જાઓ, આ મોક્ષનો રસ્તો કહેવાય છે.
અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા.
અપનેકો આપ જાનકે મુક્ત બન ગયા. અજ્ઞાનથી સંસાર; ને ભેદજ્ઞાનથી મોક્ષ. ભેદજ્ઞાન શું કહેવાય તેની આ વાત છે. ભેદજ્ઞાની પોતાના ચિદાનંદ સ્વભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com