________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨: આત્મભાવના આત્મા પોતે પોતાને ઉપાસીને પરમાત્મા થાય છે.
હવે અભિન્ન ઉપાસનાનું દષ્ટાંત તથા ફળ કહે છે:उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा। मथित्वात्मानमात्मैव जायतेऽग्निः यथा तरुः।। ९८ ।।
આત્માની ઉપાસનામાં, ભિન્નઉપાસના અને અભિન્નઉપાસના એમ બે પ્રકાર છે; અહંત-સિદ્ધના સ્વરૂપને જાણીને તેના પોતાના સ્વરૂપને ધ્યાવવું તે ઉપાસના છે, તેમાં અરિહંતની ઉપાસના કહેવી તે ભિન્ન-ઉપાસના છે. ને પોતાના સ્વરૂપની ઉપાસના કહેવી તે અભિન્ન-ઉપાસના છે. ભિન્ન-ઉપાસનાની વાત ૯૭મી ગાથામાં કરી, અને વાંસમાંથી સ્વયં અગ્નિ થાય છે તે દષ્ટાંતે અભિન્ન-ઉપાસનાનું સ્વરૂપ આ ગાળામાં સમજાવે છે.
જેમ વાંસનું ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસારા વડે અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા બીજા કોઈના અવલંબન વગર, પોતે પોતામાં જ એકાગ્રતાના મંથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે, તે વાંસ ઘસારા વડે પોતે વ્યક્ત અગ્નિરૂપ પરિણમી જાય છે, તેમ આત્મામાં પરમાત્મદશા શક્તિરૂપે પડી છે, તે આત્મા અંતરમાં એકાગ્ર થઈને સ્વભાવનું મંથન કરતાં કરતાં પોતે પરમાત્મદશારૂપ પરિણમી જાય છે. આમાં જે ત્રિકાળ શક્તિ છે તે શુદ્ધઉપાદાન છે, ને પૂર્વની મોક્ષમાર્ગરૂપ પર્યાય તે વ્યવહારકારણ છે. ત્રિકાળરૂપ જે શુદ્ધ સ્વભાવ છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. તે કારણસ્વરૂપમાં એકાગ્ર થતાં મોક્ષ થાય છે. અહીં તો અભિન્નઉપાસના બતાવવી છે, એટલે આત્મા પોતે પોતામાં એકાગ્રતા વડે પોતાની ઉપાસના કરીને પરમાત્મા થઈ જાય છે. જુઓ, આ સીધોસટ મોક્ષનો માર્ગ ! આત્માની ઉપાસના તે જ મોક્ષનો સીધો અને અફર માર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com