________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૭ * બાહ્ય શરીરાદિ પદાર્થોને જ જે આત્મા માને છે તે
બહિરાત્મા છે. * અંતરમાં દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું જેને
ભાન છે તે અંતરાત્મા છે. * અને ચૈતન્યશક્તિ ખોલીને જેણે પરમ સર્વજ્ઞપદ પ્રગટ
કર્યું છે તે પરમાત્મા છે.
પરમાત્માને સ્થાવ
અંતરાત્મા થઈ - -
*
દેરામામાં છે:
આવા ત્રણ પ્રકારમાંથી સર્વજ્ઞતા ને પરિપૂર્ણ આનંદરૂપ એવું પરમાત્મપણું પરમ ઉપાદેય છે. અંતરાત્માપણું તે તેનો ઉપાય છે અને બહિરાત્માપણું છોડવા જેવું છે. પરમાત્મા થવાનું સાધન શું? કે અંતરાત્માપણું તે પરમાત્મા થવાનું સાધન છે. અંતરમાં પરમાત્મશક્તિ ભરી છે, તેની પ્રતીત કરીને તેમાંથી જ પરમાત્મદશા પ્રગટે છે. એ સિવાય બહારમાં બીજું કોઈ તેનું સાધન છે જ નહિ. આત્માના અંતર-અવલોકનમાં કોઈ બહારની ચીજ સહાયક પણ નથી ને વિજ્ઞકારી પણ નથી. આવા અંતર સ્વભાવની દષ્ટિ કરે તો અંતરાત્મપણું થાય ને બાહ્યમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મપણું છૂટી જાય. અને જે અંતરાત્મા થયો તે હવે અંતરશક્તિમાં એકાગ્ર થઈને પરમાત્મા થઈ જશે. આ રીતે હેયરૂપ એવા બહિરાત્મપણાને છોડવાનો તથા ઉપાદેયરૂપ એવું પરમાત્મપણું પ્રગટ કરવાનો ઉપાય અંતરાત્મપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com