________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩): આત્મભાવના શરીરની ક્રિયા શરીરથી જ થાય છે. આત્મા તો જ્ઞાનક્રિયાનો જ કરનાર છે. આત્મા હોય ને ભાષા બોલાય, ત્યાં ખરેખર આત્મા તે ભાષાનો જાણનાર જ છે, પણ અજ્ઞાની ભ્રમથી એમ માને છે કે “હું ભાષા બોલ્યો.” જ્ઞાની પોતાની જ્ઞાનક્રિયા સિવાય દેહાદિની કોઈ ક્રિયાને પોતાની માનતા નથી; તે તો જ્ઞાનસ્વભાવને જ પોતાનો જાણીને તેમાં જ એકાગ્રતા કરે છે. (૯૨).
અજ્ઞાની જાગતો હોય છતાં વિભ્રમમાં છે. જ્ઞાની ઊંઘતા હોય ત્યારેય મોક્ષમાર્ગે છે.
અજ્ઞાની બહિરાત્માની બધી અવસ્થાઓ ભ્રમરૂપ છે, ને જ્ઞાની અંતરાત્મા સર્વ અવસ્થાઓમાં ભ્રાંતિરહિત જ છે,-એમ હવે કહે છે.
सुप्तोन्मत्ताद्यस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम्। विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थाऽऽत्मदर्शिनः।। ९३।। विदिताशेषशास्त्रोपि न जाग्रदपि मुच्यते। देहात्मदृष्टि: ज्ञातात्मा सुप्तोन्मत्तोपि मुच्यते।।९४ ।।
બહિરાત્માને એમ લાગે છે કે સુપ્ત કે ઉન્મત્ત અવસ્થા તે જ ભ્રમરૂપ છે, જાગૃતદશા વખતે તેને ભ્રમ લાગતો નથી; પણ જ્ઞાની તો જાણે છે કે જે બહિરાત્મા છે તેની બધી જ અવસ્થા ભ્રમરૂપ છે; તે ભલે ભણેલો-ગણેલો ને ડાહ્યો હોય, જાગતો હોય, તોપણ પોતાને દેહાદિરૂપ માનતો હોવાથી તે ભ્રમમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com