________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪: આત્મભાવના આંખ વડે માર્ગ દેખે છે, ને આંધળો ચાલે છે. ચાલવાની તાકાત લંગડામાં નથી ને દેખવાની તાકાત આંધળામાં નથી. દેખવાની ક્રિયા તો લંગડાની છે ને ચાલવાની ક્રિયા આંધળાની છે-આવા આંધળા અને લંગડા વચ્ચેના અંતરની ખબર નથી તે માણસ લંગડાની દષ્ટિનો આંધળામાં આરોપ કરીને એમ માને છે કે આ લંગડો જ માર્ગ દેખીને ચાલે છે.–તેનો આ આરોપ મિથ્યા છે, તેને ખબર નથી કે માર્ગ દેખનારો તો ઉપર જુદો બેઠો છે. એ જ પ્રમાણે આ શરીર તો જ્ઞાન વગરનું આંધળું-જડ છે, ને આત્મા દેખતો છે પણ તે શરીરની ક્રિયા કરવા માટે પાંગળો છે. શરીર હાલ-ચાલે તેને આત્મા જાણે છે, તે જાણવાની ક્રિયા આત્માની છે; ને શરીરાદિ ચાલવાની ક્રિયા તો જડની છે.-પણ જેને જડ-ચેતનના અંતરની ખબર નથી, આત્મા અને શરીરની ભિન્નતાનું ભાન નથી એવો અજ્ઞાની જીવ આત્માના જ્ઞાનનો શરીરમાં આરોપ કરીને એમ માને છે કે આ શરીર જ જાણે છે-આંખથી જ બધું દેખાય છે, એટલે શરીર તે જ આત્મા છે.—પણ તેનો આ આરોપ મિથ્યા છે; તેને ખબર નથી કે જાણનારો તો શરીરથી જુદો છે, શરીર કાંઈ નથી જાણતું, જાણવાની ક્રિયા તો આત્માની છે.
વળી તે અજ્ઞાની જીવ એમ માને છે કે શરીર હાલ-ચાલેબોલે તે બધી મારી ક્રિયા છે, હું જ તે ક્રિયા કરું છું. પણ શરીર હાલ-ચાલે-બોલે તે તો જડની ક્રિયા છે, તે જડ-આંધળું તેના પગથી (તેની પર્યાયથી) હાલ-ચાલે–બોલે છે, તે ક્રિયા આત્માથી થઈ નથી; આત્માએ તો તેને જાણવાની ક્રિયા કરી છે. આ રીતે જડચેતનની ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે. જડ-ચેતનની ક્રિયાઓ આવો ભેદ-તફાવત-જાદાઈ નહિ જાણનાર અજ્ઞાની જીવ તે બન્નેને એકપણે માનીને સંસારમાં પરિભ્રમણ કરે છે.
જાઓ, ગ્રંથની શરૂઆતમાં કહ્યું હતું કે જેને પરમસુખની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com