________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩ર૩ કષ્ટ અને દુઃખ લાગે છે તેના અભિપ્રાયમાં વિષયોમાં સુખબુદ્ધિ પડી છે. “હું તો જ્ઞાન જ છું, જ્ઞાનમાં જ મારું અસ્તિત્વ છે, મારા જ્ઞાનસ્વભાવમાં જ મારું સુખ છે ને બાહ્ય વિષયોમાં ક્યાંય મારું સુખ નથી ”—એવું ભાન કરતાં શરીરાદિમાંથી સુખબુદ્ધિ છૂટી જાય છે. શરીરના સાધન વડે ચારિત્રનું પાલન થશે–એવી જેની બુદ્ધિ છે તેને શરીર ઉપરનું મમત્વ છૂટયું નથી. તેણે વિષયો છોડીને પણ શરીરમાં જ મમત્વબુદ્ધિ કરી છે. જ્યાં અંતરના ચૈતન્યતત્ત્વનું વેદન નથીઆનંદનો અનુભવ નથી ત્યાં કોઈને કોઈ પ્રકારે બાહ્ય વિષયોમાં મમતા અને સુખબુદ્ધિ જીવને વેદાયા જ કરે છે, એટલે ભોગોથી સાચી નિવૃત્તિ તેને હોતી નથી.
માટે દેહાદિથી ભિન્ન આત્મતત્ત્વને જાણીને તેમાં પ્રીતિ જોડવી. ચૈતન્યમાં પ્રીતિ કરીને તેમાં લીનતા કરતાં બાહ્ય ભોગોથી સહેજે નિવૃત્તિ થઈ જાય છે ને દેહાદિનુંય મમત્વ છૂટી જાય છે. આ રીતે પરમપદની પ્રાપ્તિ થાય છે. (૯૦)
અજ્ઞાનીને આત્મા અને દેહમાં એકત્વબુદ્ધિ
જેને દેહથી ભિન્ન આત્મતત્ત્વનું જ્ઞાન નથી એવો મોહી જીવ આત્માની ક્રિયાને દેહમાં જોડે છે ને દેહની ક્રિયાને આત્મામાં જોડ છે, તે વાત દષ્ટાંતથી સમજાવે છે
अनंतरज्ञ: संधत्ते दृष्टिं पंगोर्यथाऽन्धके। संयोगात् दृष्टिमंगेऽपि संधत्ते तद्वदात्मनः।। ९१।। એક આંધળા માણસના ખભા ઉપર લંગડો બેઠો છે; તે
લંગડો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com