________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૨૧ શાસ્ત્રોએ તો યથાર્થ નિમિત્ત બતાવ્યું છે, પણ કાંઈ તે જાતિ કે લિંગને જ મોક્ષનું કારણ કહેવાનો શાસ્ત્રનો આશય નથી; છતાં તેને જ જેઓ મોક્ષનું કારણ માને છે તેઓ સંસારમાં જ રખડે છે. મોક્ષનું કારણ તો આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર જ છે; જેઓ દેહદૃષ્ટિ છોડીને એવા રત્નત્રયને આરાધે છે તેઓ જ દેહાતીત મુક્તિને પામે છે. (૮૯).
અજ્ઞાનીનો ધ્યેય વગરનો ત્યાગ. ભેદજ્ઞાન વગર રાગ-દ્વેષનું જ સેવન
શરીરની જાતિ કે લિંગ તે મોક્ષનું કારણ નથી-એમ સમજીને શરીરનું મમત્વ છોડવું, ને પરમપદમાં પ્રીતિ જોડવી તે તાત્પર્ય છે. જે દેહનું મમત્વ છોડવા માટે, અને જે પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ભોગોથી નિવૃત્તિનો ઉપદેશ છે, તેને જાણ્યા વગર એટલે કે દેહથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માને જાણ્યા વગર, ભોગાદિને છોડીને પણ અજ્ઞાની જીવ મોહને લીધે તે શરીરમાં જ અનુરાગ કરવા લાગે છે ને બીજા ઉપર એટલે કે પરમાત્મસ્વરૂપ ઉપર દ્વેષ કરે છે.-જેનો ત્યાગ કરવાનો છે તેની તો પ્રીતિ કરે છે ને જેની પ્રાપ્તિ કરવાની છે તેના પર દ્વેષ કરે છે.-એમ હવેની ગાથામાં કહે છે:
यत्त्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्तये। प्रीति तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः।। ९०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com