________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩/૯ તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુઓ, વીતરાગ થઈને એ રીતે, તે ભવ્ય ભવસાગર તરે.
તો પછી ભગવાનની ભક્તિ કોઈ નહી કરે”—એમ કોઈ કહે, તો કહે છે કે અરે ભાઈ! ભગવાને કહેલી આવી વીતરાગી વાત સમજશે તેને જ વીતરાગભગવાન પ્રત્યે ખરી ભક્તિ જાગશે. પણ રાગને જે મોક્ષમાર્ગ માનશે તેને વીતરાગ પ્રત્યે ખરી ભક્તિ નહીં જાગે.
સાચા તત્ત્વના નિર્ણયપૂર્વક અવ્રત અને વ્રત બન્નેનો ત્યાગ કરવાથી શું થાય છે? તે હવેની ગાથામાં કહેશે. (૮૪).
બધા વિકલ્પો દુઃખનું મૂળ છે; તેના નાશથી પરમઈષ્ટ પદ પમાય છે.
અવ્રત અને વ્રત બન્નેનો ત્યાગ કરવાથી શું થાય છે?—એમ પૂછવામાં આવતાં આચાર્યદવ કહે છે એ બન્નેના ત્યાગથી આત્માને પરમપ્રિય હિતકારી ઈષ્ટ એવા સુંદર પરમપદની પ્રાપ્તિ થાય છે
यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम्।। ८५।।
અંતરમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પોરૂપ જે કલ્પનાજાળ છે તે જ આત્માને દુઃખનું મૂળ છે; ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા વડે તેનો નાશ કરતાં પોતાના પ્રિય હિતકારી એવા પરમપદની પ્રાપ્તિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com