________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮: આત્મભાવના ગમાં ઠરવા માંગે છે.
વ્રતના વિકલ્પ જ્યાંસુધી છે ત્યાંસુધી મુક્તિ થતી નથી; અને વ્રતના વિકલ્પથી જ્યાં સુધી લાભ માને છે ત્યાંસુધી તો મિથ્યાત્વમાંથી પણ મુક્તિ થતી નથી.
વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી પણ મોક્ષને રોકનાર છે માટે તે છોડવા જેવો છે. આ વાત સાંભળતાં મૂઢ જીવો કહે છે કે “વ્રત તે મોક્ષનું કારણ નથી તો શું વ્રત છોડીને અવત કરવાં?'- અરે મૂર્ખ! એ વાત ક્યાંથી લાવ્યો? અવ્રતને છોડવાનું તો પહેલાં જ કહ્યું. વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માનશે? શુભ-અશુભ બન્નેથી છૂટીને આત્માના મોક્ષની વાત સાંભળતાં તેની હોંશ આવવી જોઈએ, તેને બદલે જેને ખેદ થાય છે કે “અરે! શુભ છૂટી જાય છે!'—તો તેને મોક્ષની રુચિ નથી પણ રાગની જ રુચિ છે એટલે સંસારની જ રુચિ છે.
અહીં તો ઉત્કૃષ્ટ વાત બતાવે છે. જેણે આત્માનું સમ્યકક્ષાન તો કર્યું છે, તે ઉપરાંત હિંસાદિના પાપભાવરૂપ અવ્રત પણ છોડીને અહિંસાદિ વ્રત પાળે છે, તેને પણ આગળ વધવા માટે કહે છે કે આ વ્રતના વિકલ્પોને પણ છોડીને તું સ્વરૂપમાં સ્થિર થા, તો તને પરમાત્મદશા પ્રગટ થશે.
પહેલાં આવા યથાર્થ માર્ગનો નિર્ણય કરવો જોઈએ; મોક્ષમાર્ગ તો વીતરાગભાવમાં જ છે, રાગમાં મોક્ષમાર્ગ નથી, પછી તે અશુભ હો કે શુભ; માર્ગના નિર્ણયમાં જ જેને વિપરીતતા હોય, જે રાગને મોક્ષમાર્ગ માનતો હોય, તે રાગરહિત વીતરાગી મોક્ષમાર્ગને ક્યાંથી સાધી શકશે? કુંદકુંદસ્વામી તો
સ્પષ્ટ કહે છે કે રાગ તે મોક્ષમાર્ગ નથી–પછી ભલે અરિહંત કે સિદ્ધ પ્રત્યેનો તે રાગ હોય!--
Please inform us of any errors on rajesh@AtmaDharma.com