________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩૦૭ છોડવા જેવા? –પણ ભાઈ રે, ધીરા થઈને સમજો તો ખરા. વ્રતનો શુભરાગ તે બંધનું કારણ છે કે મોક્ષનું? તે રાગ તો બંધનું જ કારણ છે ને મોક્ષને તો વિપ્ન કરનાર છે. તો જે બંધનું કારણ હોય તે મોક્ષાર્થીએ છોડવા જેવું હોય કે આદરવા જેવું? મોક્ષાર્થી જીવોએ રાગાદિને બંધનું જ કારણ જાણીને તે છોડવા જેવું છે. સમાધિ તો વીતરાગભાવ વડે થાય, કાંઈ રાગ વડે સમાધિ ન થાય. માટે મોક્ષાર્થી જીવોએ અવ્રતની જેમ વ્રત પણ છોડવા જેવા છે. (૮૩)
અવ્રત અને વ્રત બન્નેને છોડવા જેવા કહ્યા, તેને છોડવાનો ક્રમ શું છે? તે હવે કહે છે –
अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः। त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः।। ८४ ।।
અવ્રત અને વ્રત બન્નેથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વને ઓળખીને, સમ્યકશ્રદ્ધા-જ્ઞાન કરીને પછી તેમાં સ્થિરતાના ઉધમ વડે પહેલાં તો અવતો છોડીને ધર્મી વ્રતનું પાલન કરે છે-અર્થાત્ હજી ચૈતન્યમાં વિશેષ સ્થિરતા નથી ત્યાં એવા વ્રતોનો શુભરાગ રહે છે; અને પછી શુદ્ધોપયોગ વડે સ્વરૂપમાં લીન થઈને તે વ્રતનો રાગ પણ છોડીને આત્માના પરમપદને પ્રાપ્ત કરે છે. આ રીતે અવ્રત તેમ જ વ્રત બનેને છોડીને, શુદ્ધોપયોગ વડે અંતરાત્મા મુક્તિ પામે છે.
પહેલાં અવ્રત છોડીને વ્રતનો ભાવ આવે, ત્યાં ધર્મી વ્રતનું પાલન કરે છે-એમ વ્યવહારે કહેવાય; ખરેખર જે વ્રતનો રાગ છે તે રાગના પાલનની ધર્મીને ભાવના નથી. ધર્મીને તો શુદ્ધોપયોગની જ ભાવના છે. વ્રતના વિકલ્પને છોડીને તે શુદ્ધોપયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com