________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3O6: આત્મભાવના ન જાણે ને વિકલ્પને મોક્ષનું કારણ માને તો તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં કેમ ઠરે? ધર્મી તો પહેલેથી જ સમસ્ત વિકલ્પોથી પોતાના આત્માને જુદો જાણે છે.
ધર્માત્મા સમસ્ત રાગથી પોતાના ચિદાનંદતત્ત્વને જુદું જાણે છે, રાગના અંશને પણ પોતાના અંતરંગ સ્વરૂપપણે માનતા નથી. આ રીતે રાગથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જાણીને, તેમાં અંશે એકાગ્ર થતાં અવ્રતોનો ત્યાગ થઈ જાય છે. અને પછી તેમાં વિશેષ લીન થતાં અવ્રતોની માફક વ્રતોનો શુભરાગ પણ છૂટી જાય છે. જેમ અવ્રતના અશુભભાવો બંધનું કારણ છે તેમ વ્રતના શુભભાવો પણ બંધનું કારણ છે. તે પણ આત્માની મુક્તિના બાધક છે, તેથી મોક્ષાર્થીને તે પણ હોય છે. જેમ લોઢાની બેડી પુરુષને બંધનકર્તા છે તેમ સોનાની બેડી પણ બંધનકર્તા જ છે, છૂટવાના કામીએ તે બન્ને બેડીના બંધન છોડવા યોગ્ય છે; તેમ પાપ અને પુણ્ય બને જીવને બંધનકર્તા જ છે એમ જાણીને મોક્ષાર્થી જીવે તે બને છોડવા જેવા છે. પુણ્ય તે આત્માની મુક્તિમાં બાધકરૂપ છે –વિઘ્નરૂપ છે છતાં તેને જે મોક્ષનું કારણ માને છે તે મિથ્યાદષ્ટિ છે, તે બંધના કારણને મોક્ષનું કારણ માને છે, એટલે ખરેખર તેણે બંધ-મોક્ષના સ્વરૂપને જાણું નથી.
અજ્ઞાનીઓ કહે છે કે વ્રતાદિ વ્યવહાર કરતાં કરતાં મુક્તિ પમાશે. અહીં કહે છે કે વ્રતાદિ વ્યવહાર તો મુક્તિમાં વિઘ્ન કરનાર છે, તેને છોડતાં મુક્તિ થાય છે. કેટલો ફેર! મૂળ માન્યતામાં જ ફેર છે. સાધકને નીચલી ભૂમિકામાં તે વ્રતાદિનો રાગ છૂટે નહિ, પણ તે રાગને તે બાધકરૂપે જાણે છે, તેને સાધકરૂપે નથી માનતો. અજ્ઞાની તો તે રાગને સાધકરૂપે જાણે છે એટલે તેની તો શ્રદ્ધા જ ખોટી છે.
અવ્રતની જેમ વ્રતનો શુભરાગ પણ છોડવા જેવો છે-આ વાત સાંભળતાં ઘણા લોકો રાડ નાંખી જાય છે કે “અરે ! વ્રત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com