________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૩/૫ કર્યું છે. સંતોએ આટલી સ્પષ્ટ વાત સમજાવી હોવા છતાં હુઠાગ્રહી જીવો રાગની રુચિથી એવા આંધળા થઈ ગયા છે કે તેમને સત્યસ્વરૂપ દેખાતું નથી. શું થાય? કાંઈ કોઈ એને પરાણે સમજાવી ઘે એમ છે?
શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ માંય;
તેવું શુભાશુભ છેદતાં ઊપજે મોક્ષસ્વભાવ. જુઓ, શુભ કરતાં કરતાં મોક્ષ થાય-એમ નથી કહ્યું, પણ શુભ-અશુભ બન્નેને છેદવાથી મોક્ષ થાય છે-એમ સ્પષ્ટ કહ્યું છે. ધર્માત્મા ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈને જ્યાં આનંદમાં લીન થાય છે ત્યાં વ્રતાદિના શુભવિકલ્પ પણ છૂટી જાય છે, ને મુક્તિ થાય છે. માટે અંતરાત્મા વ્રતાદિના વિકલ્પને પણ છોડીને વીતરાગી સ્વરૂપમાં ઠરવાની ભાવના ભાવે છે. શુભથી પણ પાર એવા વીતરાગ ભાવને પરમ ઉદાસીનતા કહેવાય છે, ને તે જ મોક્ષનું કારણ છે. રાગીજીવો તો કર્મથી બંધાય છે, વિરક્ત જીવો જ કર્મથી છૂટે છે,-એ જૈનધર્મનો મહાન સિદ્ધાંત છે.
કોઈ જીવો કહે છે કે “વ્રત તે મોક્ષનું કારણ નથી તો શું વ્રત છોડીને અવ્રત કરવાં?” અરે મૂર્ખ! એ વાત ક્યાંથી લાવ્યો? વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માને? વ્રત છોડીને અવ્રત કરવાનું માને તે તો સ્વચ્છેદી દુર્બુદ્ધિ છે, અને વ્રતના શુભવિકલ્પોને જે મોક્ષનું કારણ માને તે પણ દુર્બુદ્ધિ છે, મોક્ષના ઉપાયને તે જાણતો નથી. અવ્રત કે વ્રત બન્ને પ્રકારના રાગથી રહિત થઈને વીતરાગભાવે આત્મસ્વરૂપમાં કરવું તે જ મોક્ષનું કારણ છે-એમ ધર્મી જાણે છે; એટલે અવ્રત તથા વ્રત બન્નેના વિકલ્પોને તે છોડવા જેવા માને છે. પહેલાં અવ્રત છોડીને વ્રતના વિકલ્પ આવે, છતાં શુદ્ધાત્માને તેનાથી પણ જાદો જાણે છે. જો એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com