________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪: આત્મભાવના અવ્રતની માફક વ્રતનો પણ વિકલ્પ ત્યાજ્ય છે. પરમ ઉદાસીનતારૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જેમ સ્વ-પર સંબંધી વિકલ્પો ત્યાજ્ય છે તેમ વ્રત સંબંધી પણ વિકલ્પો ત્યાજ્ય છે એમ હવે કહે છે:
अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः। अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत्।। ८३ ।।
અવ્રતથી પાપ છે, ને વ્રતથી પુણ્ય છે; તે બન્નેના વ્યયથી મોક્ષ થાય છે. માટે મોક્ષાર્થી જીવ અવતની જેમ વ્રતને પણ છોડ છે.
જાઓ, આમાં પૂજ્યપાદસ્વામી સ્પષ્ટ કહે છે કે વ્રતનો શુભરાગ તે પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી, માટે મોક્ષાર્થીએ તો તે પણ છોડવા જેવો છે. તે તે ભૂમિકામાં અવ્રત છોડીને વ્રતનો શુભરાગ ધર્મીને આવે તે જુદી વાત છે, પણ જે તેને તે હેય ન માને ને તેનાથી લાભ થવાનું માને તો તો શ્રદ્ધા જ ઊંધી થઈ જાય છે એટલે મિથ્યાત્વ થાય છે; મિથ્યાદષ્ટિને તો યથાર્થ વ્રત પણ હોતાં નથી. અહીં તો ભેદજ્ઞાન પછી ધર્મીને વ્રતાદિનો ભાવ આવે છે તેની વાત છે; તે ધર્મી જાણે છે કે જેમ મેં અવતરૂપ અશુભને છોડયા તેમ આ વ્રતના શુભ વિકલ્પોને પણ જ્યારે હું છોડીશ ત્યારે મારી મુક્તિ થશે. આ વ્રતના વિકલ્પો મને મુક્તિના હેતુ નથી.
જુઓ, જેમ ભાવપાહુડની ૮૩ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદવે સ્પષ્ટ કહ્યું છે કે વ્રતાદિમાં પુણ્ય છે, -ને ધર્મ તો જુદી ચીજ છે; તેમ અહીં પણ ૮૩ મી ગાથામાં પૂજ્યપાદસ્વામી સ્પષ્ટ કર્યું છે કે મોક્ષાર્થીએ અવ્રતની જેમ વ્રત પણ છોડવા યોગ્ય છે, કેમકે વ્રતનો વિકલ્પ તે પુણ્યબંધનું જ કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. અહો! બધા સંતોએ એક જ વાત કરી છે; જેવું વસ્તુસ્વરૂપ છે તેવું જ બધાય સંતોએ પ્રસિદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com