________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૦૩ આત્મામાં અંતર્મુખ થઈને દેહથી ભિન્ન આત્માને એવો ભાવવો કે જેથી ફરીને દેહની સાથે સ્વપ્ન પણ આત્માનો સંબંધ ન થાય. ધર્મી પોતાના આત્માને દેહાદિથી ભિન્ન એવો ભાવે છે કે તેને સ્વપનાં પણ એવાં જ આવે. સ્વપનામાં પણ દેહ સાથે એકતા ન ભાસે. હું દેહથી જુદો ચૈતન્યબિંબ થઈને અનંત સિદ્ધ ભગવંતોની વચ્ચે બેઠો છું-એવાં સ્વપ્નાં ધર્મીને આવે. વાણીથી કે વિકલ્પથી ભાવના કરવાની આ વાત નથી, આ તો અંતરમાં આત્મામાં એકાગ્ર થઈને ભાવના કરવાની વાત છે. દેહથી ભિન્ન કહેતાં રાગાદિથી પણ આત્મા ભિન્ન છે, તેની ભાવના ભાવવી. સમયસારમાં આચાર્યદેવે એકત્વ-વિભક્ત આત્માને જેવો વર્ણવ્યો છે તેની જ ભાવના કરવાની આ વાત છે.-કઈ રીતે ? કે પોતે એવા આત્માનો સ્વાનુભવ કરીને તેની ભાવના કરવી. મૂઢબુદ્ધિ જીવો શરીરને ધર્મનું સાધન માને છે એટલે તે તો શરીરથી ભિન્ન આત્માને ક્યાંથી ભાવે? જ્ઞાની તો જાણે છે કે મારો આત્મા દેહથી અત્યંત ભિન્ન શાંતિનું ધામ છે; “આ દેહું હું છું” એવી એકત્વબુદ્ધિ સ્વપ્ન પણ તેને નથી, એટલે તે સ્વપ્ન પણ આત્માને દેહ સાથે જોડતા નથી, આત્મામાં જ શ્રદ્ધા-જ્ઞાનનું જોડાણ કરીને તેની ભાવના કરે છે.-ભેદજ્ઞાનથી નિરંતર આવી ભાવના કરવી તે જ મોક્ષનું કારણ છે. I૮ર /
* આત્મભાવનામાં તત્પર મુમુક્ષુએ અવતની જેમ શુભવ્રત પણ છોડવા જેવા છે
૮ર મી ગાથામાં એમ કહ્યું કે આત્મભાવના જ મોક્ષનું કારણ છે, વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી; માટે મોક્ષાર્થીએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com