________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨: આત્મભાવના રાગનો અભ્યાસ છે પણ આત્માનો અભ્યાસ નથી. અરે જીવ! શ્રવણ કરવાનો કે બીજાને શ્રવણ કરાવવાનો રાગભાવ તે આત્મા નથી ને વાણીનો ધોધ વછૂટે તેમાં પણ આત્મા નથી, આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે,-એમ ઓળખીને અંતર્મુખ જ્ઞાનાનંદ સ્વભાવનો અનુભવ કર. જ્ઞાયકસ્વરૂપમાં જેટલી એકાગ્રતા કર તેટલું તારું હિત છે, ને તે જ મોક્ષનું કારણ છે. વાણી કે વાણી તરફનો વિકલ્પ તે કોઈ તને શરણરૂપ નહિ થાય. તીર્થંકર પરમાત્માની દિવ્યધ્વનિ ગણધરદેવ સાંભળે છતાં તેમને પણ તે વાણી તરફનો જે વિકલ્પ છે તે તો રાગ છે, તે કાંઈ ધર્મ નથી; પણ અંતરમાં રાગરહિત વીતરાગી લીનતા વર્તે છે તે જ ધર્મ છે ને તે જ મોક્ષનું કારણ છે. જુઓ, સંતો પોતે એમ કહે છે કે હે જીવ! અમારી વાણી તરફના વલણથી તારું હિત નથી, તારું હિત તારા જ્ઞાયકસ્વરૂપમાં વલણથી જ છે, માટે તું તારા સ્વભાવમાં અંતર્મુખ થઈને તેની શ્રદ્ધા જ્ઞાન કર, ને તેનો વારંવાર અભ્યાસ કરીને તેમાં એકાગ્ર થા,-આવા સ્વઅભ્યાસથી જ તારી મુક્તિ થશે. ૮૧ ||
ભિન્ન આત્માની ભાવના એવી દઢ કર કે
સ્વપ્નમાં પણ દેહનો સંબંધ ન થાય
અંતરાત્માએ દેહથી ભિન્ન આત્માની અતિ દઢ ભાવના કરવી એમ હવે કહે છે –
तथैव भावयेदेहाव्यावृत्यात्मानमात्मनि। यथा न पुनरात्मानं देहे स्वप्नेपि योजयेत्।। ८२।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com