________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૯૫ ને રાગાદિ સમસ્ત પરભાવોને પોતાથી બાહ્યપણે દેખવા. જેને પોતાથી બાહ્ય દેખે તેનો આદર કેમ કરે ?
દેહાદિકને બાહ્યપણે દેખવા ને ચૈતન્યસ્વરૂપ આત્માને અંતરંગપણે દેખીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો,-આવો અભ્યાસ જ મુક્તિનું કારણ છે. આવું અંતરંગ ચૈતન્યતત્ત્વ જ જગતનું ઉત્કૃષ્ટ પ્રમેય છે, સ્વય હોવાથી તે મુખ્ય પ્રમેય છે. આવા પ્રમેયને જાણવું તે જ “પ્રમેયકમલમાર્તડ” નું ખરું જ્ઞાન છે; અને જે જીવો આવા સ્વ-પ્રમેયને નથી જાણતા તેઓ પ્રમેયકમલમાર્તડ” ને જાણતા નથી. માટે પોતાના આત્માને અંતરંગમાં દેખીને તેને પ્રમેય બનાવવો ને રાગાદિ પરશેયોને બાહ્યપણે દેખવા,-આવા ભેદજ્ઞાનવડે આત્મામાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો તે જ મોક્ષનો ઉપાય છે. (૭૯)
*
ભેદજ્ઞાનીને આત્મલક્ષે જગત પ્રત્યે ઉપેક્ષા
*
જેને શરીર અને આત્માનું ભેદવિજ્ઞાન થઈ ગયું છે એવા અંતરાત્માને શરૂઆતની અભ્યાસદશામાં આ જગત કેવું લાગે છે? અને પછી ચૈતન્યના અભ્યાસમાં એકાગ્ર થતાં આ જગત કેવું લાગે છે? તે બતાવે છે –
पूर्वं दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवजगत्। स्वभ्यस्तात्मधियः पश्चात् काष्ठपाषाणरूपवत्।।८०।। જેને પોતાના આત્માનું સમ્યગ્દર્શન થઈ ગયું છે એવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com