________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૮૭ તને શરણું નહિ આપે, માટે તેની દષ્ટિ છોડ, ને શરણભૂત એવા ચૈતન્યને જ દષ્ટિમાં લેતો તને ગમે તે ક્ષણે ચૈતન્યના શરણે સમાધિ જ રહેશે. (૭૭).
હવે ૭૮ મી ગાથા સરસ છે; તેમાં કહેશે કે જે જીવ વ્યવહારનો-રાગાદિનો આદર કરતો નથી તે જ આત્મબોધને પામે છે, અને જે જીવ વ્યવહારનો આદર કરે છે તે જીવ આત્મબોધ પામતો નથી.
જેને વ્યવહારમાં એકત્વબુદ્ધિ છે તેને આત્મામાં જાગૃતિ નથી
*
*
*
*
*
*
દેહ અને આત્માને ભિન્ન નહિ જાણનારો અજ્ઞાની દેહમાં આત્મબુદ્ધિને લીધે મરણથી ભયભીત રહે છે ને અસમાધિપણે મરે છે. જ્ઞાની તો દેહને પોતાથી અત્યંત ભિન્ન જાણે છે તેથી તેને મૃત્યુનો ભય નથી, તેને તો મરણ ટાણેય સમાધિ જ છે.-એમ અજ્ઞાની તથા જ્ઞાનીના ભિન્ન ભિન્ન પરિણામની વાત કરી.
હવે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે મૂળભૂત તફાવત બતાવતાં સરસ વાત કરે છે કે-જે જીવ વ્યવહારમાં અનાદરવાન છે એટલે કે વ્યવહારનો-રાગાદિનો આદર કરતો નથી તે જ આત્મબોધને પામે છે, અને જે જીવ વ્યવહારમાં આસક્ત છે-તેનો આદર કરે છે તે જીવ આત્મબોધને પામતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com