________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૭૭ સંસાર-મોક્ષનો કર્તા આત્મા પોતે જ છે
અહીં શિષ્ય પૂછે છે કે પ્રભો! દેહમાં આત્મબુદ્ધિથી જીવ ભવભ્રમણ કરે છે, અને શુદ્ધાત્મામાં જ આત્મભાવનાથી જીવ મોક્ષ પામે છે-એમ આપે સમજાવ્યું પરંતુ આત્માને મોક્ષ પામવા માટે કોઈ બીજા ગુરુ તો જોઈએ ને? તેના ઉત્તરમાં શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે
नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव च। गुरुरात्मात्मनस्तस्मात् नान्योस्ति परमार्थतः।।७५।।
આત્મા પોતે જ પોતાને પોતાના અજ્ઞાનવડ જન્મમાં ભમાવે છે, ને પોતાના ભેદજ્ઞાનવડે મોક્ષ પમાડે છે. આ રીતે પોતાના ભાવવડે પોતે જ પોતાના સંસાર કે મોક્ષને કરે છે, તેથી પરમાર્થે આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, બીજા કોઈ પરમાર્થ ગુરુ નથી.
વ્યવહારમાં ગુરુ-શિષ્યનો સંબંધ છે. જે હિતોપદેશ આપીને આત્માનું કલ્યાણ કરે તે ગુરુ કહેવાય; પણ ગુરુએ જે હિતોપદેશ આપ્યો તે ઝીલ્યો કોણે? ને તે પ્રમાણે આચરણ કર્યું કોણે? આત્મા પોતે જ્યારે તે ઉપદેશ ઝીલીને, અને તે પ્રમાણે આચરણ કરીને પોતાનું કલ્યાણ પ્રગટ કરે, ત્યારે તેનું હિત થાય; આ રીતે આત્મા પોતે જ પોતાના હિતનો કર્તા હોવાથી પોતે જ પરમાર્થે પોતાનો ગુરુ છે. શ્રીગુરુએ તો હિતોપદેશ આપ્યો, પણ તે પ્રમાણે જીવો પોતે સમજે નહિ તો?-તો તેનું હિત થાય નહિ. પોતે સમજે તો જ હિત થાય, ને તો જ શ્રીગુરુનો ઉપકાર કહેવાય. (સમજ્યા વણ ઉપકાર શો?)
શ્રી ગુરુ તો એવો હિતોપદેશ આપે છે કે “અરે જીવ! તું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com