________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
ર૬ર : આત્મભાવના
અહીં, અસંખ્યપ્રદેશી અવયવવાળું કેવળજ્ઞાન જ જેનો દેહ છે, માત્ર જ્ઞાન જ જેનું સ્વરૂપ છે-એવા આત્મામાં કાળા-ધોળો રંગ કવો? કે જાડું-પાતળું શરીર કેવું? શરીરને એકક્ષણ પણ તું તારામાં ન ચિંતવ; જ્ઞાનાનંદે ભરપૂર ભગવાન તું છો, એવા સ્વરૂપે તું તને સદા ધાર, એટલે કે શ્રદ્ધામાં-જ્ઞાનમાં-અનુભવમાં લે. * જે જ્ઞાન છે તે હું છું.
જે આનંદ છે તે હું છું. * પણ જે શરીર છે તે હું એમ નથી.
કેવળ જ્ઞતિસ્વરૂપ હું છું-એવા અનુભવમાં વિકાર પણ કયાં આવ્યો? કેવળ જ્ઞતિ એટલે એકલું વીતરાગી જ્ઞાન-એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જ્યાં વિકારનોય અવકાશ નથી ત્યાં શરીર કેવું? આવા અશરીરી આત્માનું ચિંતન અતીન્દ્રિય જ્ઞાનવડ થાય છે. જ્ઞાનના ઉપયોગને અંતરમાં વાળીને ધ પોતાને આવો (કવળજ્ઞાનસ્વરૂપ) અનુભવે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ” અને “સિદ્ધસમાન સદા પદ મેરો” એવી પ્રતીતમાં દેહ સાથે એકત્વબુદ્ધિ રહી શકે નહીં, એટલે દેહસંબંધી વિષયોમાં સુખબુદ્ધિ પણ રહે જ નહિ. આવા ભેદજ્ઞાનવડે આત્માને ઓળખવો તે સાદિ-અનંત સમાધિસુખરૂપ મોક્ષનું કારણ છે, એ વાત હવેની ગાથામાં કહેશે. (૭૦).
*
*
*
*
*
*
મોક્ષનો એકાંત નિયમ : ચિત્તની ચેતનમાં અચલતા
ભેદવિજ્ઞાનવડ આત્માને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણીને તેમાં જે એકાગ્રતા કરે છે તેને નિયમથી મુક્તિ થાય છે, અને તેમાં જે એકાગ્રતા નથી કરતો તેને મુક્તિ થતી જ નથી–એમ હવે કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com