________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૫૯ મારું શરીર છે-એવી અંતસ્વરૂપની સાવધાની કરતાં ચૈતન્યના સ્વાદનો અનુભવ થાય છે. પણ અજ્ઞાની જીવ ભ્રાંતિને લીધે તેને જાણતો નથી ને કર્મ તરફ વલણવાળા રાગાદિરૂપ સ્વાદને જ તે આત્માનો સ્વાદ માને છે. રાગ તે ધર્મ નથી-એમ કદાચ ધારણાથી કહે, પણ અંતરમાં તે રાગના વેદનથી જાદો પડતો નથી, સૂક્ષ્મપણે રાગની મીઠાશમાં જ અટકી ગયો છે, પણ રાગથી પાર થઈને જ્ઞાનભાવનો અનુભવ કરતો નથી. જ્યાં સુધી રાગથી પાર જ્ઞાનાનંદસ્વરૂપને ન જાણે ત્યાં સુધી તે અજ્ઞાની બહિરાત્મા સંસારમાં જ પરિભ્રમણ કરે છે. (૬૮)
બહિરાત્મા યથાર્થ આત્મસ્વરૂપને નથી જાણતો, તો તે કોને આત્મા માને છે?–તે હવે કહે છે.
જ્ઞાની તો જગતથી ભિન્ન પોતાના આત્મસ્વરૂપને એવું જાણે છે કે જગતના પદાર્થો તો તેને ખાલી ભાસે છે, જાણે તે ચેતના વગરના હોય એમ ભાસે છે, કેમકે પોતાની ચેતના તેમાં કયાંય નથી. પણ અજ્ઞાનીને આવા ભિન્ન આત્માનું ભાન નથી, તે તો બ્રાન્તિથી દેહાદિને જ આત્મા માને છે. યથાર્થ આત્મસ્વરૂપને નહિ જાણનારો તે બહિરાત્મા આત્માને કેવો માને છે તે હવે કહે છે
प्रविशद्गलतां व्यूहे देहेऽणुनां समाकृतौ। स्थिति भ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः।। ६९ ।।
અજ્ઞાની પોતાની નિત્યતા ભૂલીને ભ્રાન્તિથી આ ક્ષણિક સંયોગી શરીરને નિત્ય સ્થિર માની રહ્યો છે, ને તે જ હું છું એમ પોતાને દેહરૂપે માની રહ્યો છે. શરીરમાં ક્ષણેક્ષણે અનંત પરમાણુઓ જાય છે ને આવે છે; શૂળપણે કેટલોક કાળ સુધી શરીર એવું ને એવું દેખાય ત્યાં અજ્ઞાની તેને સ્થિર માની રહ્યો છે અને દેહ સાથે એકક્ષેત્રે રહેતાં તે દેહરૂપે જ પોતાને અનુભવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com