________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨પ૭ રહે નહિ. અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપમાં જેની; દષ્ટિ નિસ્પદ થઈ છે.-સ્થિર થઈ છે એવા જ્ઞાનીને સસ્પદ એવું આ જગત પણ નિસ્પદ સમાન ભાસે છે; જગતની ક્રિયાઓ સાથેનો પોતાનો સંબંધ છૂટી ગયો ત્યાં તેને પોતાના અનુભવથી ભિન્ન દેખે છે. મારી ચેતનાનો એક અંશ પણ પરમાં દેખાતો નથી, મારું સર્વસ્વ મારામાં જ છે એમ જ્ઞાની પોતાના આત્માને જગતથી અસંગ અનુભવે છે.
ભાઈ, તારે તારા આત્માને અનુભવવો હોય તો તું જગતને તારાથી અત્યંત ભિન્ન, અચેતન જેવું દેખ. એટલે કે તારી ચેતનાનો કે તારા સુખનો એક અંશ પણ તેમાં નથી-એમ જાણ. જગતમાં તો બીજા અનંતા જીવો છે, સિદ્ધભગવંતો છે, અહંન્તો છે, મુનિવરો છે, ધર્માત્માઓ છે; અનંતા જીવ ને અજીવ પદાર્થો છે, તે સૌની ક્રિયા તેમનામાં થયા કરે છે, પણ આ આત્મા પોતાના સ્વાનુભવ તરફ
જ્યાં ઉપયોગને ઝુકાવે છે ત્યાં આખું જગત શૂન્યવત ભાસે છે; જગત તો જગતમાં છે જ પણ આનો ઉપયોગ તે પર તરફથી પાછો હુટી ગયો છે તેથી તે ઉપયોગમાં પોતાના આત્માનું જ અસ્તિત્વ છે ને જગત તેમાં શૂન્ય છે. ઉપયોગને અંતર્મુખ કરીને આ રીતે આત્માને પરથી શૂન્ય અનુભવે તે જ આત્માના પરમ સુખને ભોગવે છે, બીજા જીવો આત્માના સુખને ભોગવી શકતા નથી. આત્માના અતીન્દ્રિયસુખના અભિલાષી જીવે જગતની ક્રિયાથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણવું જોઈએ. (૬૭).
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com