________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૮ : આત્મભાવના
છે. તેઓ પંદર-પંદર દિવસના ઉપવાસ કરતા, ને અનેક ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી, મહાન બુદ્ધિના દરિયા હતા ને આત્માની શાંતિના અનુભવમાં લીન હતા. આવા દિગંબર સંત કહે છે કે:
केवल्य सुरय स्पृहाणा विविक्तमात्मानमथाभिधास्ये
અહો ! જે જીવો આત્માના અતીન્દ્રિય સુખને ઝંખી રહ્યા છે તેમને માટે હું કર્મથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીશ, કે જે આત્માને જાણતાં જરૂર અતીન્દ્રિય આનંદ થાય આત્મા પોતે અતીન્દ્રિય આનંદનો સાગર છે; જગતના અનંતકાળના ભવભ્રમણના દુ:ખથી થાકીને જેને કેવળ આત્માના સુખની જ સ્પૃહા જાગી છે-એવા ભવ્ય આત્માને માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ.
મારે મારા આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત કરવો છે, અને તે મને જરૂર પ્રાપ્ત થશે-એમ આત્માના સુખને જે લેવા માંગે છે તેને આ વાત સમજાવે છે. ‘હું અભવ્ય હોઈશ, મને આત્માનો આનંદ નહિ મળે' એવો સંદેહ જેને ટળી ગયો છે, ને આનંદનો ઉપાય બતાવનાર દેવ-ગુરુ-શાસ્ત્રની આસ્થા થઈ છે, તેથી આત્માના સુખનો અભિલાષી થઈને તેનો ઉપાય જાણવા આવ્યો છે, એવા આત્માને અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહીને સુખનો ઉપાય બતાવે છે. દુ:ખ તો ક્ષણિક પર્યાયમાં છે, તેનો નાશ થઈને સુખ પ્રગટ થશે; કયાંથી? કે આત્માના સ્વભાવમાં અતીન્દ્રિય સુખ છે તેમાંથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com