________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૭ મોક્ષસુખના અભિલાષી જીવોને માટે પરથી ભિન્ન આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાડે છે
*
*
*
-એ પ્રમાણે પહેલા શ્લોકમાં સિદ્ધ ભગવાનને તથા બીજા શ્લોકમાં અરિહંત ભગવાનને નમસ્કાર કરીને હવે ત્રીજા શ્લોકમાં શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે જે કેવળ-સુખનો અભિલાષી છે એવા મોક્ષાર્થી જીવને માટે હું કર્મમલથી વિભક્ત એવા સુંદર આત્માનું સ્વરૂપ કહીશઃ
श्रुतेन लिगेन यथात्मशक्ति समाहितान्त करणेन सम्यक् । समीक्ष्य कैवल्यसुखस्पृहाणां
विविक्तमात्मानमथाभिधास्ये।।३।। શાસ્ત્રકાર શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે હું શ્રુતથી એટલે કે કુંદકુંદભગવાન વગેરે પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્રોથી, તથા લિંગથી એટલે યુક્તિ-અનુમાનથી, અને આત્મશક્તિ-અનુસાર ચિત્તની એકાગ્રતાથી સમ્યકપ્રકારે જાણીને તથા અનુભવીને, ભિન્ન આત્માનું સ્વરૂપ હવે કહીશ. કોને માટે કહીશ? કે જે જીવ કેવળ આત્માના સુખનો જ અભિલાષી છે, વિષયોથી પાર એવા અતીન્દ્રિય ચૈતન્ય આનંદની જ જેને ભાવના છે, કેવળજ્ઞાનથી થતું જે અનંતસુખ, એના સિવાય બીજા કોઈની જેને સ્પૃહા નથી, આકાંક્ષા નથી-એવા મોક્ષાર્થી ભવ્ય જીવોને માટે હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ.
જાઓ, જેમનાં પાદકમળ દેવોથી પૂજ્ય છે એવા પૂજ્ય પાદસ્વામી પોતે આત્માનો અનુભવ કરતાં-કરતાં આ રચના કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com