________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫): આત્મભાવના અત્યંત જુદું; જેમ લાકડાને કે પત્થરનો થાંભલો આત્માથી જુદો છે તેમ આ શરીર પણ આત્માથી જાદું જ છે. જેમ થાંભલાની ક્રિયાથી આત્માને ધર્મ નથી, તેમ દેહની ક્રિયાથી આત્માને ધર્મ નથી. જેમ થાંભલો અચેતન પરમાણુનો પિંડ છે તેમ શરીર પણ અચેતન પરમાણુનો પિંડ છે.
જ્ઞાનીએ અહીંથી જ દેહમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે એટલે તે ફરીને દેહને ધારણ કરતા નથી, અજ્ઞાનીને તો દેહમાં જ આત્મબુદ્ધિ છે તેથી દેહના મમત્વને લીધે તે ફરીફરીને દેહને ધારણ કરે છે, ને સંસારમાં રખડે છે. જ્ઞાનીને એકાદ બે ભવ કદાચ થાય, પણ ત્યાં તે શરીરને આત્મબુદ્ધિથી ધારણ કરતા નથી, તે તો આત્માને જ પોતાનો માનીને આરાધે છે, એટલે આત્માની આરાધનાથી તે મુક્તિ પામે છે.
ધર્મી જાણે છે કે આ શરીર તો અનિત્ય છે, ક્ષણમાં પલટીને નાશ પામી જાય તેવું છે; પણ મારો આત્મા તો નિત્ય ટકનારો છે, તે કદી નાશ પામી જતો નથી; આત્માની પર્યાયો પલટે છે પણ તેનો સર્વથા નાશ થતો નથી. શરીર તો જડ પરમાણુ ભેગાં થઈને રચાયેલું છે. તેમાં કયાંય સુખ કે ધર્મ ભર્યો નથી, મારું તો ચૈતન્યશરીર છે, મારા ચૈતન્યશરીરમાં જ જ્ઞાનઆનંદ ભર્યા છે, તેમાં જેટલો એકાગ્ર થાઉં તેટલાં જ્ઞાન ને આનંદ પ્રગટે છે.-આમ જાણીને ધર્મી પોતાના આત્મામાં જ એકાગ્રતા કરે છે, તેનું નામ ધર્મ છે.
વીતી ગયેલી બાળ કે યુવાન અવસ્થાને જીવ જાણે છે, પણ શરીરની તે વીતી ગયેલી અવસ્થાને તે પાછી લાવી શકતો નથી; શરીરને વૃદ્ધમાંથી બાલ કે યુવાન બનાવી શકતો નથી, કેમકે તે ચીજ જુદી છે. આત્મા તેનું જ્ઞાન કરી શકે પણ તેને ફેરવી શકે નહિ. તેમ જ શરીર કાળું હોય તો તેને આત્મા જાણે પણ તેને કાળામાંથી ધોળું કરી શકે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com