________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૯: આત્મભાવના रक्ते वस्त्रे यथात्मानं न रक्तं मन्यते तथा। रक्ते स्वदेहेप्यात्मानं न रक्तं मन्यते बुधः।। ६६ ।।
જેમ રાતા વગેરે રંગવાળું વસ્ત્ર પહેરવાથી માણસો પોતાને તેવા રંગના માની લેતા નથી. વસ્ત્રના રંગને શરીરનો રંગ માનતા નથી; તેમ જ્ઞાની શરીરના રંગને આત્માનો રંગ માનતા નથી રંગવાળું રાતુ-પીળું શરીર તે હું નથી, હું તો રંગ વગરનો અરૂપી ચૈતન્ય છું—એમ જ્ઞાની પોતાને દેહથી ભિન્ન જાણે છે.
જેમ ધોળા માણસ કાળું વસ્ત્ર પહેરે તો તેથી કાંઈ તે કાળો ન થઈ જાય, ને કાળો માણસ રૂપાળું ધોળું વસ્ત્ર પહેરે તો તેથી કાંઈ તે ધોળો ન થઈ જાય, કેમકે વસ્ત્ર અને શરીર જુદાં છે. તેમ કાળારાતા શરીરથી આત્મા કાળો-રાતો થઈ જતો નથી. શરીર દેખાવડું હોય તેથી આત્મામાં કાંઈ ગુણ થઈ જાય, કે શરીર કદરૂપું હોય તેથી આત્માને કાંઈ અવગુણ થઈ જાય એમ નથી. કોઈને કદરૂપ શરીર હોય છતાં કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામે, તેમાં કાંઈ શરીર નડતું નથી. ને કોઈને રૂપાળું શરીર હોય છતાં પાપ કરીને નરકે જાય,–તેને કાંઈ શરીર રોકતું નથી. શરીર અને આત્મા તો જુદાં જ છે.
જેમ રાતું વસ્ત્ર બદલીને પીળું પહેરે ત્યાં કાંઈ શરીર બદલી જતું નથી, તેમ મનુષ્યનું ખોળિયું બદલીને દેવનું ખોળિયું આવે ત્યાં કાંઈ આત્મા બદલીને બીજી નવો આવતો નથી, આત્મા તો સળંગપણે તે જ રહે છે. મનુષ્યદેહમાં જે આત્મા હતો તે જ દેવના શરીરમાં આવ્યો છે. રાતાપીળા રંગ દેખાય છે તે આત્મા નથી, આત્મા તો રંગ વગરનો અરૂપી ચૈતન્યમૂર્તિ છે. શરીરના રંગ દેખીને ધર્મી પોતાને તેવા રંગવાળા માનતા નથી. રંગ આંખથી દેખાય છે, મારો આત્મા કાંઈ આંખથી દેખાય તેવો નથી.-આમ ધર્મી પોતાના આત્માને દેહથી ભિન્ન જાણે છે.
અહા, જુઓ તો ખરા, જેમ વસ્ત્ર જાદું, તેમ શરીર આત્માથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com