________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮: આત્મભાવના કે “અરે! હું તો આ જીવતો રહ્યો!' સ્વપ્નમાં મેં મને મરી ગયેલો માન્યો તે ભ્રમણા હતી, તેમ જીવ આ દેહ છોડીને બીજા ભવમાં જાય ત્યાં અજ્ઞાનનિદ્રામાં સૂતેલો અજ્ઞાની ભ્રમણાથી એમ માને છે કે અરેરે! હું મરી ગયો.” પણ જાતિસ્મરણ વગેરેમાં ભાન થાય કે પૂર્વે જે અમુક ભવમાં હતો તે જ આત્મા હું અત્યારે છું, માટે મારું મરણ નથી થયું. મેં પૂર્વે દેહદૃષ્ટિથી જ મારું મરણ માન્યું હતું અહીં. જાતિસ્મરણનો દાખલો છે; તે પ્રમાણે જ્ઞાની તો સદાય પોતાના આત્માને દેહથી જુદો જ જાણે છે. હું તો જ્ઞાન છું; દેહ હું જ નહિ, પછી મારો નાશ કેવો? દેહના નાશ પ્રસંગે પણ “મારું મરણ થશે” એવો ભય કે સંદેહુ જ્ઞાનીને થતો નથી, માટે જ્ઞાનીને મૃત્યુનો ભય નથી. મૃત્યુ મારું છે જ નહિ –એમ જાણ્યું પછી મરણની બીક કેવી ? શરીરને પોતાનું માનનારા મૂઢ જીવોને જ મરણની બીક છે; આત્માને દેહથી ભિન્ન જાણનારા સંતોને મરણની બીક હોતી નથી. સિંહ આવે ને ભયથી ભાગે છતાં તે વખતેય “મારું મરણ થઈ જશે” એવો મરણનો ભય જ્ઞાનીને નથી. મારું ચૈતન્યતત્ત્વ અવિનાશી છે, પૂર્વે અનંતવાર દેહનો સંયોગ થયો ને નાશ થયો છતાં મારો નાશ થયો નથી; હું તો જ્ઞાનસ્વરૂપ એવો ને એવો છું. શરીરાદિ કોઈ મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો જ્ઞાન-આનંદમય છે, તે કદી મારાથી છૂટી પડતી નથી. આ રીતે ધર્માત્મા શરીરના નાશથી પોતાનો નાશ માનતા નથી; પણ અવિનાશી જ્ઞાનસ્વરૂપે પોતાને અનુભવે છે, એટલે તેને પરમ શાંતિ ને સમાધિ વર્તે છે. આ રીતે ભેદજ્ઞાનની ભાવના તે જ પરમ શાંતિની દાતાર છે. (૬૫)
* * * વળી જેમ વસ્ત્રાના રાતા-પીળા-કાળા કે ધોળા વગેરે રંગથી લોકો પોતાને તેવા રંગના માની લેતા નથી, તેમ દેહના રાતા-પીળાકાળા કે ધોળા વગેરે રંગથી જ્ઞાની પુરૂષો પોતાના આત્માને તેવો માનતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com