________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬: આત્મભાવના છે, ને કેવળજ્ઞાન તથા સિદ્ધપદ પ્રાપ્ત થાય તે આત્માની વૃદ્ધાવસ્થા છે, અર્થાત્ ત્યાં જ્ઞાન પરિપકવ થયું છે. આ સિવાય શરીરની બાલ-યુવાન કે વૃદ્ધાવસ્થા તે આત્માની નથી. શરીર વૃદ્ધ થાય ને શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય તેથી કાંઈ આત્માની જ્ઞાનશક્તિ હણાઈ જતી નથી. જ્ઞાન તો જાણે છે કે આ શરીરમાં પહેલાં આવી શક્તિ હતી, ને હવે શરીરમાં એવી શક્તિ નથી. પણ શરીરમાં શક્તિ હો કે ન હો તે કાંઈ મારું કાર્ય નથી. હું તો જ્ઞાન અને આનંદસ્વરૂપ જ છું, જ્ઞાનમાં જ મારું અસ્તિત્વ છે, શરીરમાં મારું અસ્તિત્વ નથી.
અજ્ઞાનીને તો દેહ અને ઇન્દ્રિયોથી પાર ચૈતન્યતત્ત્વ લક્ષમાં જ આવ્યું નથી, એટલે તે તો દેહ તથા ઇન્દ્રિયોને જ આત્મા માને છે; જ્યાં દેહ અને ઇન્દ્રિયો મોળી પડે ત્યાં તે અજ્ઞાનીને એમ થાય છે કે મારી શક્તિ મોળી પડી,-એટલે તે અજ્ઞાની તો દેહદૃષ્ટિથી આકુળ -વ્યાકુળ જ રહે છે. દેહની અનુકૂળતા હોય ત્યાં “હું સુખી” એમ માનીને તે અનુકૂળતામાં મૂર્ણાઈ જાય છે, ને જ્યાં પ્રતિકૂળતા હોય ત્યાં “હું દુઃખી” એમ માનીને તે પ્રતિકૂળતામાં મૂર્ણાઈ જાય છે; જ્ઞાની તો દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાને જાણે છે તેથી તેઓ કોઈ સંયોગોમાં મૂછતા નથી. ચૈતન્યના લક્ષે તેમને શાંતિ રહે છે. (૬૪).
છે જ્યારથી એટલે તે તો
*
*
*
વળી, જેમ દેહની યુવાન કે વૃદ્ધાવસ્થાથી ધર્મી પોતાને યુવાન કે વૃદ્ધ માનતા નથી તેમ દેહના નાશથી ધર્મી પોતાનો નાશ માનતા નથી,-એ વાત કહે છે
नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा। नष्टे स्वदेहेप्यात्मानं न नष्टं मन्यते बुधः।। ६५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com