________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૪૫ શરીરવડે આત્માને સુખ–દુઃખ નથી, આત્મા પોતે જ સુખદુ:ખરૂપે પરિણમે છે. આત્માનો સહજસ્વભાવ તો ચિદાનંદસુખસ્વરૂપ છે, તેના અનુભવમાં તો સુખ છે, પણ તેને ચૂકીને અજ્ઞાની શરીરને પોતાનું માનીને તેના ઉપર રાગદ્વેષ કરીને તે રાગદ્વેષને અનુભવે છે, તે દુઃખ અને અસમાધિ છે. જ્ઞાની તો જાણે છે કે જ્ઞાન અને આનંદથી પુષ્ટ એવો મારો આત્મા છે, તે જ મારું સ્વ છે.-આવા આત્મભાનમાં જ્ઞાની પોતાના ચૈતન્યસુખને અનુભવે છે, તે સમાધિ છે, તે મોક્ષનું કારણ છે.
ભેદજ્ઞાન તે પરમ શાંતિનું મૂળ છે. એવા ભેદજ્ઞાનની ભાવનાનું ઘોલન કરતાં કહ્યું કે જેમ જાડા વસ્ત્રથી લોકો પોતાને જાડો માનતા નથી તેમ બુધપુરુષો જાડા શરીરમાં રહેલા આત્માને તે શરીરરૂપ-જાડો માનતા નથી, પણ જેમ દેહથી વન્ન ભિન્ન છે તેમ આત્માથી શરીરને ભિન્ન જાણે છે.
વળી કહે છે કે – जीर्णे वस्त्रे यथात्मानं न जीर्णं मन्यते तथा। जीर्णे स्वदेहेपयात्मानं न जीर्णं मन्यते बुधः।। ६४।।
જેમ વસ્ત્ર જીર્ણ થાય કે ફાટી જાય, તેથી કાંઈ શરીર જીર્ણ થતું નથી કે ફાટી જતું નથી; તેમ આ શરીર જીર્ણ થતાં આત્મા કાંઈ જીર્ણ થતો નથી. શરીર જીર્ણ થાય-રોગી થાય-ઘરડું થાય ત્યાં હું જીર્ણ થયો-હું રોગી થયો કે હું વૃદ્ધ થયો-એમ બુધજનો એટલે કે જ્ઞાનીઓ માનતા નથી. હું તો જાણનાર છું; હું સ્વયંસિદ્ધ અનાદિઅનંત છું; મારે બાલ-યુવાન કે વૃદ્ધપણું નથી. હા, આત્માની અજ્ઞાનદશામાં બાલપણું હતું; હવે આત્મભાનરૂપ સાધકદશા તે ધર્મની યુવાનદશા છે એટલે કે પુરુષાર્થની દશા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com