________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૪૧ સંસાર છે. જ્ઞાનસ્વરૂપ હું છું ને શરીરાદિ મારાથી જુદાં છે એવા ભેદજ્ઞાનપૂર્વક ભેદના અભ્યાસથી સંસારની નિવૃત્તિ થાય છે.
જ્ઞાતા ચિદાનંદસ્વરૂપ છું-એમ જે પોતાના આત્માને શ્રદ્ધાજ્ઞાનમાં ગ્રહણ કરતો નથી, ને શરીર-મન-વચન હું એમ ગ્રહણ કરે છે તે મૂઢ જીવ બહિરાત્મા છે; જ્યાંસુધી શરીરાદિને આત્મબુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યાંસુધી જ સંસાર છે. અને, હું તો ચિદાનંદજ્ઞાનમૂર્તિ છું. શરીર-મન-વચન હું નથી, તેનાથી હું ભિન્ન છું-એમ ભિન્ન આત્માના અનુભવથી સંસારની નિવૃત્તિ થાય છે.
જડ સાથે એકત્વબુદ્ધિ તે સંસારનું કારણ છે; અને ભેદ જ્ઞાનનો અભ્યાસ-એટલે કે દેહાદિથી અત્યંત ભિન્ન એવા ચૈતન્યતત્ત્વની વારંવાર ભાવના–તે મુક્તિનો ઉપાય છે. ભેદજ્ઞાનથી જ મોક્ષના ઉપાયની શરૂઆત થાય છે, ને પછી પણ ભેદજ્ઞાનની ભાવનાથી જ મુક્તિ થાય છે.
નિયમસારમાં કહે છે કે-“આવો ભેદનો અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે.” ભેદજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. સમયસારમાં પણ કહ્યું છે કે-જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, ને જે કોઈ જીવો બંધાયા છે તેઓ ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. માટે
भावयेत् भेदविज्ञान इदमच्छिन्नधारया। तावत् यावत् परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।
અચ્છિન્નધારાએ આ ભેદજ્ઞાન ત્યાંસુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટીને જ્ઞાનમાં જ લીન થઈ જાય.-જુઓ, આવા ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. જે હજી તો એમ માને કે દેહ-વાણી તે હું છું, તેનાં કામ હું કરું છું, તે તો દેહથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com