________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦: આત્મભાવના
ભિન્ન આત્મા નથી જાણ્યો એવો અબુધ જ એવી બુદ્ધિ કરે છે. જ્ઞાનીએ તો આત્માને દેહથી સર્વથા ભિન્ન જાણીને દેહ પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ કરી છે, શરીરના લાભ-નુકશાનથી આત્માના લાભનુકશાનની બુદ્ધિ ધર્મીને છે જ નહિ. શરીરના લાભ-નુકશાનથી પોતાને લાભ-નુકશાન માને એને શરીર પ્રત્યે સાચો વૈરાગ્ય હોય જ નહિ; જ્ઞાનીને, જ્ઞાતાસ્વભાવી સ્વતત્ત્વ તરફ વળતાં આખા જગત પ્રત્યે ને શરીર પ્રત્યે સાચી ઉપેક્ષાબુદ્ધિ થઈ ગઈ છે. જ્યાં સુધી સ્વ-પર તત્ત્વનું ભેદજ્ઞાન નથી ત્યાં સુધી જ સંસાર છે, ને ભેદજ્ઞાન થતાં સંસારની નિવૃત્તિ થાય છે-એમ હવેની ગાથામાં કહેશે. ( ૬૧ )
******
દેહમાં આત્મબુદ્ધિથી સંસાર; ભેદજ્ઞાનના અભ્યાસથી મુક્તિ.
*
જીવ શરીરાદિકમાં જ્યાંસુધી આત્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે ત્યાંસુધી જ સંસાર છે, અને ભેદજ્ઞાન થતાં તે પ્રવૃત્તિ મટી જાય છે ને મુક્તિની પ્રાપ્તિ થાય છે–એમ હવે કહે છે
स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाक्र्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निवृत्तिः ।। ६२ ।।
કાય, વચન ને મને એ ત્રણે હું છું–એમ જ્યાંસુધી સ્વબુદ્ધિથી જીવ તેને ગ્રહણ કરે છે ત્યાંસુધી તે મિથ્યાબુદ્ધિને લીધે તેને
Please inform us of any errors on rajesh @Atma Dharma.com