________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮: આત્મભાવના કરે છે. મિથ્યાષ્ટિજીવ ઘરબાર છોડીને જંગલમાં જઈને રહે, ને શુભભાવનાથી સ્વર્ગમાં જાય, ત્યારે પણ ચૈતન્યની શાંતિ વગર શરીર ઉપર દ્વેષની બુદ્ધિથી જ તેનો ત્યાગ છે. “શરીર દ્વારા ધર્મનું સાધન કરવા માટે તેને આહારાદિ આપું, અથવા ઉપવાસાદિ વડે શરીરનો નિગ્રહ કરું –એવી જેની બુદ્ધિ છે તેને અનંતાનુબંધી રાગ-દ્વેષ પડયા જ છે, ચૈતન્યના અમૃતનું વેદન તેને નથી એટલે તેને સમાધિ નથી પણ અસમાધિ જ છે. શરીરને જ સુખનું સાધન માન્યું ત્યાં તેને પોષવાની રાગબુદ્ધિ છે, અને શરીરને દુ:ખનું સાધન માન્યું ત્યાં તેના ઉપર દ્વેષબુદ્ધિ છે, એટલે તે શરીર પ્રત્યેની ચિંતાથી નિરંતર અસમાધિ જ વેદે છે. પણ હું તો દેહથી ભિન્ન જ્ઞાનદર્શનસ્વરૂપ છું, દેહમાં મારું સુખદુઃખ છે જ નહિએમ જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો અને બધાય પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણીને, સર્વ પરદ્રવ્યથી ઉપેક્ષિત થઈને, જ્ઞાનાનંદસ્વરૂપમાં પ્રીતિ કરવી તે જ સમાધિનો ઉપાય છે. ધર્મીને ચૈતન્યસ્વરૂપમાં જ પ્રીતિ છે, પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય દેહાદિ પ્રત્યે તેને ઉપેક્ષા જ છે; જ્ઞાનસ્વરૂપ આત્મા શાંતિનો ને આનંદનો સાગર છે-તેમાં વળતાં દેહાદિ પ્રત્યે સહેજે ઉપેક્ષા વર્તે છે. ધર્મીને આત્મભાવની શાંતિના વેદનપૂર્વક પર પ્રત્યે ઉપેક્ષા વર્તે છે. અજ્ઞાનીને આત્મભાવની શાંતિની તો ખબર નથી ને પરને છોડવા જાય છેતેથી તેમાં તેને વૈષબુદ્ધિ જ પડી છે. ચિદાનંદસ્વરૂપ આત્મદ્રવ્યમાં પરિણતિની એકાગ્રતા વગર દેહાદિ પ્રત્યે સાચી ઉપેક્ષા થતી નથી. ચૈતન્યના આનંદમાં એકાગ્ર થતાં રાગ-દ્વેષ થતા જ નથી, ત્યાં ધર્મીને દેહાદિ પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થતી નથી, એટલે અનાકુળ શાંતિરૂપ સમાધિ જ રહે છે.
ચેતન્યના અતીન્દ્રિય આનંદ પાસે ધર્માત્માને જગતના સમસ્ત બાહ્ય વિષયોનું કૌતુક છૂટી ગયું છે, બહારમાં ક્યાંય સુખ સ્વપ્નય ભાસતું નથી. અમૃતનું આખું ઝાડ, અમૃતની આખી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com