________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ : આત્મભાવના
જ્ઞાની પોતાના અંતરંગ ચૈતન્યમાં પોતાનો આનંદ દેખે છે, બાહ્યમાં ક્યાંય તેને સુખનો આભાસ થતો નથી, માટે તેની પ્રીતિ બાહ્યથી છૂટીને અંતરમાં વળી ગઈ છે. અહો જીવો! અંતરમાં જ આનંદ છે તેને દેખો, બહારમાં આનંદ નથી;-આમ વારંવાર સમજાવવા છતાં મૂઢ-અજ્ઞાની જીવ અવિવેકને લીધે સમજતો નથી. ને બાહ્યવિષયોમાં-રાગાદિમાં જ આનંદ માનીને તેની પ્રીતિ કરે છે, ચૈતન્યની પ્રીતિ કરતો નથી, તેથી તેને સમાધિ થતી નથી; જ્ઞાનીને તો ચૈતન્યના આનંદ પાસે આખા જગતનું કુતૂહલ છૂટી ગયું છે, તેથી તેને તો નિરંતર સમાધિ વર્તે છે. ચૈતન્યના આનંદને ઓળખીને તેની પ્રીતિ કરવી, તેમાં લીનતા કરવી તે જ નિર્વિકલ્પશાંતિ અને સમાધિનો ઉપાય છે. મૂઢ અજ્ઞાનીને બાહ્યવિષયોમાં ને રાગમાં સુખ લાગે છે, ને ચૈતન્યમાં સુખ નથી લાગતું. જ્ઞાની ધર્માત્માને તે બાહ્ય વિષયોમાં કે રાગમાં સ્વપ્નય સુખ લાગતું નથી, તે બાહ્યવિષયોથી ઉદાસીન છે, ને ચૈતન્યના અતીન્દ્રિય સુખની પ્રીતિ કરીને તેમાં જ લીનતાનો ઉદ્યમ કરે છેઆ જ સમાધિનો ઉપાય છે.
મૂઢ જીવ બહિરાત્મબુદ્ધિને લીધે દેહાદિક અચેતન દ્રવ્યોમાં નિગ્રહ કે અનિગ્રહ કરવાની બુદ્ધિ કરે છે પણ ચૈતન્યના ભાવમાં વિપરીતભાવોનો નિગ્રહું અને સમ્યક ભાવોનું સેવન કરવાનું તે જાણતો નથી.—એ વાત હવેની ગાથામાં કહેશે.
* * * * * *
F અધ્યાત્મ ભાવના આપણે વાંચી રહ્યા છીએ તે “સમાધિતંત્ર” ઉપરનાં પ્રવચનો છે. પૂજ્યપાદસ્વામીએ ૧૪00 વર્ષ પહેલાં તે શાસ્ત્રની રચના કરી છે. તેમાં ભેદજ્ઞાનપૂર્વક ફરી ફરીને પરમ શાંતિદાતારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com