________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪: આત્મભાવના
તીર્થકર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો રચાયાં તે પણ તીર્થ છે, કેમ કે તે તરવાનું નિમિત્ત છે. ગણધરદેવ પણ તીર્થ છે; ગણધર-તીર્થની સ્થાપના પણ આજે થઈ. ભગવાનના પ્રવચનને પણ તીર્થ કહેવાય છે, તેની ઉત્પત્તિ પણ આજે થઈ; રાજગૃહીનગરમાં પંચશૈલપુર (પાંચ પહાડી) છે, ત્યાં વિપુલાચલ ઉપર સૌથી પહેલ- વહેલો દિવ્યધ્વનિ આજના દિવસે છૂટયો હતો. એ રીતે આજનો દિવસ મંગલ છે, વીરશાસનના મહોત્સવનો મોટો દિવસ છે.
ભગવાનનો ઉપદેશ જીવોને બોધિ અને સમાધિનું કારણ છે; અહીં સમાધિશતક વંચાય છે તેમાં પણ એ જ વાત સમજાવે છે.
*
*
*
ચૈતન્યનું મહાન કૌતુક જેણે જોયું તેને જગતના કોઈ પદાર્થમાં કૌતુક લાગતું નથી.
આ આત્મતત્ત્વ અમૃતથી ભરેલું છે, પરમ આનંદથી ભરેલું છે; પણ મૂઢ અજ્ઞાની જીવો તેની પ્રીતિ કરતા નથી ને બહિરાત્મબુદ્ધિથી બાહ્યવિષયોમાં જ કૌતુક કરીને તેમાં પ્રીતિ કરે છે; જ્ઞાનીને તો આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બાહ્યવિષયોનું કૌતુક છૂટી ગયું છે.-એ વાત આ ૬૦મી ગાથામાં પૂજ્યપાદસ્વામી બતાવે છે
बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे। तुष्वत्यन्तः प्रबुद्धात्मा बहिर्व्यावृत कौतुक।।६०।। ધર્મી તો જાણે છે કે અહો ! મારા આત્માના અનુભવનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com