________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર: આત્મભાવના પૂર્વે ભાવી હતી, તે અત્યારે કેવળજ્ઞાન થતાં પૂર્ણ થઈ... ભગવાનને આત્માની શક્તિમાંથી અચિંત્ય જ્ઞાન ને આનંદ પૂરેપૂરાં ખીલી ગયાં..
જુઓ, ભગવાનની તિજોરીનાં તાળાં ખૂલી ગયાં..ને કેવળજ્ઞાનનાં અનંત નિધાન પ્રગટયાં. ઉત્સાહપ્રસંગે બહેનો ગીતમાં ગાય છે કે “તિજોરીનાં તાળા ખોલજો” તેમ અહીં તો ભગવાને ચૈતન્યતિજોરીનાં તાળાં ખોલી નાખ્યાં છે...અને દિવ્યધ્વનિ વડે જગતને એ નિધાન બતાવ્યાં છે.
વૈશાખ સુદ દસમે ભગવાનને કેવળજ્ઞાન થયું.ઇન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો. ને સમવસરણ રચ્યું. દેવો-મનુષ્યો ને તિર્યંચોની સભા ભરાણી...સૌ ભગવાનની વાણી સાંભળવા આતુર હતા.પણ છાસઠ દિવસ સુધી ભગવાનની વાણી ન છૂટી. તીર્થકરની વાણીનો એવો નિયમ છે કે તેમની વાણી છૂટે ત્યાં તે ઝીલીને ધર્મ પામનારા જીવો હોય જ. વાણી છૂટે ને જીવો ધર્મ ન પામે-એમ બને નહિ, એટલે કે ભગવાનની વાણી નિષ્ફળ જાય એમ કદી ન બને. છાંસઠ દિવસ સુધી ગણધરપદને લાયક કોઈ જીવ ન હતા, ને અહીં વાણીનો યોગ પણ ન હતો. છાંસઠ દિવસ બાદ આજના દિવસે ઇન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની વાણી કાં ન છૂટે? તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ગણધરપદને લાયક જીવ હાજર નથી, ને તે લાયકાત ઇન્દ્રભૂતિ-ગૌતમમાં છે એટલે ઇન્દ્ર પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઇન્દ્રભૂતિને વાદ-વિવાદના બહાને ભગવાનના સમવસરણમાં તેડી લાવે છે. સમવસરણમાં દૈવી માનસ્તંભને જોતાં જ ગૌતમના માન ગળી જાય છે; અને ભગવાનના વીતરાગી દેદાર દેખતાં તે ભગવાન પાસે નમી જાય છે, ત્યાં દિવ્યધ્વનિ છૂટતાં ગણધરદેવ તે ઝીલીને બાર અંગની રચના કરે છે, તે આજનો દિવસ
ભગવાનના દિવ્યધ્વનિને ઝીલીને ગૌતમસ્વામીએ જે બાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com