________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૨૭ જ્ઞાની માનતા નથી; તેમને તો ચૈતન્યનું ચિંતન અને એકાગ્રતા જ પરમપ્રિય છે. અને એવી અધ્યાત્મભાવના જ શાંતિદાતાર છે, એનું નામ સમાધિ છે.
સમકિતી નાનો બાળક હોય તે પણ રાગથી ને દેહાદિથી પાર પોતાનું સ્વરૂપ જાણે છે, એટલે તે દેહાદિની ક્રિયાથી ને રાગથી ઉદાસીન જ રહે છે. જે મૂઢ પ્રાણીઓમાં લાયકાત ન હતી તેઓ તો સાક્ષાત્ સર્વજ્ઞદેવના ઉપદેશથી પણ ન સમજ્યા. અહો, અંતરનું આ જ્ઞાનતત્ત્વ !! તે હું બીજાને કઈ રીતે બતાવું? તે તો સ્વસંવેદનનો જ વિષય છે. આવા ભાનમાં જ્ઞાનીને બીજા જડબુદ્ધિ જીવોને સમજાવી દેવાની માથાકૂટ ગમતી નથી. જડબુદ્ધિ-મૂઢપ્રાણીઓ સાથે વાદવિવાદના પરિશ્રમને તે વ્યર્થ સમજે છે, એટલે તે તો પોતે પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર છે...આત્મહિતનું સાધન જ તેને મુખ્ય છે, ઉપદેશાદિની વૃત્તિ આવે તેની મુખ્યતા નથી.
પ્રશ્નઃ જ્ઞાની પણ ઉપદેશ તો આપે છે?
ઉત્તરઃ અરે ભાઈ ! જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ સિવાય એક વિકલ્પના પણ કર્તા નથી, ને ભાષાના કર્તા પણ નથી; જરાક વિકલ્પ આવે છે ને ઉપદેશ નીકળે છે–પણ તે વખતે જ્ઞાનીને તો પોતાના ચૈતન્યતત્ત્વની જ ભાવના છે.-આવી જ્ઞાનીની અંતરભાવનાને તું ઓળખતો નથી, કેમકે વાણીથી ને રાગથી પાર એવા ચૈતન્યતત્ત્વની તને ખબર નથી. વિકલ્પ અને વાણીના ચક્કરમાં જ્ઞાની કદી ચૈતન્યને ચૂકી જતા નથી; ચૈતન્યભાવપણે જ પોતે પોતાને વેદ છે.
*
* *
વળી વિકલ્પ ઊઠતાં જ્ઞાની-અંતરાત્મા એવો વિચાર કરે છે કે:यद् बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः। ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये।। ५९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com